સંબંધિત સમાચાર
- Shailesh Lodha એ કેમ છોડ્યો તારક મેહતા શો ? કંઈક આવી છે અભિનેતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ
- 14 વર્ષ પછી આ એક્ટર છોડશે તારક મેહતા જેઠાલાલનો કેવી રીતે લાગશે દિલ
- Taarak Mehta Ka Ooltah Chashmah- તારક મહેતાના મેકર્સની વધુ એક ભૂલ !, લતા મંગેશકરના આ ગીત માટે આખી ટીમે માફી માંગવી પડી હતી
- Taarak Mehta Ka Ooltah Chashmah: દયાબેનનો બોલ્ડ અવતાર થયુ વાયરલ હક્કા બક્કા રહી જશે
- Taarak Mehta Ka Ooltah Chashmah માં ચાર વર્ષ બાદ જોવા મળશે દયાભાભી
TMKOC: શો માં દયાબેનનુ કમબેક થવા જઈ રહ્યુ છે, દિશા વકાનીને લાગી શકે છે મોટો ઝટકો
સુપરહિટ કૉમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)' છેલ્લા અનેક વર્ષોથી દર્શકોનુ મનોરંજન કરી રહ્યુ છે. આ શો એ અનેક કલાકારોને એક ખાસ ઓળખ આપી. જો કે સમય સાથે આ શો માં અનેક નવા કલાકરો જોડાયા અને અનેક જૂના કલાકારોએ આ શો ને અલવિદા પણ કર્યુ. પણ આ શો દયાબેન(Dayaben) ના પાત્ર વગર હંમેશા અધુરુ જ લાગે છે. હવે દયાબેનના ફેંસ માટે એક મોટી ખુશ ખબર સાંભળવા મળી છે.
આસિક મોદીએ આપ્યા ગુડ ન્યુઝ
છેલ્લા કેટલાક સમયથી આ શો સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે તારક મેહતાનુ પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ આ શો ને અલવિદા કહી દીધુ છે. ત્યારબાદ એ પણ સાંભળવા મળ્યુ કે ગ્લેમરસ અદાઓનો તડકો લગાવનારી મુનમુન દત્તા (Munmun Dutta) પણ બબીતા જી ના રોલ ને છોડી રહી છે. આવા નિરાશાજનક સમાચાર વચ્ચે હવે આ શો ના નિર્માતા અસિત મોદી એક મોટી ગુડ ન્યુઝ લઈને આવ્યા છે.
આ વર્ષે દયાબેનનુ શો મા થશે કમબેક
તાજેતરના અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર દયાબેન અને જેઠાલાલની મસ્તી મજાક ગોકુલધામ સોસાયટીને ગૌરવ અપાવવા જઈ રહી છે. ફેંસ પણ લાંબા સમયથી દયાબેનના કમબેકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. હવે શોના નિર્માતા અસિતે પણ ફેંસને વચન આપ્યું છે કે તે જલ્દી જ દયાબેનને પરત લાવશે. તેમણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 2022માં તે કોઈ સારી તક જોઈને દયાબેનની એંટ્રી કરાવશે.