શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (12:11 IST)

શું તમારા બાળકને રાત્રે સૂવા નથી દેતી ખાંસી? અપનાવો આ ઘરેલુ ઉપાય

children
નાના બાળકોની ઈમ્યુનિટી નબળી હોય છે. તેથી જલ્દી જ રોગોની ચપેટમાં આવી શકે છે. બદલતા મોસમમાં તેને ખાંસીની સમસ્યા વધારે હોય છે. ખાસ કરીને રાત્રેના સમયે આ પરેશાનીથી ઝઝૂમે છે. આ કારણે તે રાત્રે સૂઈ પણ નહી શકતા. પણ ઉંઘ પૂરી ન થવાથી તે બીજા રોગોની ચપેટમાં આવી શકે છે. પણ આજે અમે તમારા માટે કેટલાક ઘરેલૂ ઉપાય લઈને આવ્યા છે. તેની મદદથી બાળકને ખાંસીની સમસ્યાથી આરામ મળશે. 
 
બાળકને ખાંસી આવવાના કારણ 
વાયરલ ઈંફેક્શન 
બાળકની ઈમ્યુનિટી નબળી હોય છે. તેથી વાયરલ ઈંફેક્શનની ચપેટમાં જલ્દી આવી જાય છે. આ રીતે શરદી અને ફ્લૂની ચપેટમાં આવવાથી તેમના ગળામાં ખરાશ અને ખાંસી હોય છે. 
 
એલર્જી 
બાળકને કોઈ વસ્તુથી એલર્જી હોવાથી ખાંસીની પરેશાની થઈ શકે છે . સામાન્ય રૂપે બાળકોને ધૂળ-માટીથી એલર્જી હોય છે. 
 
અસ્થમા
ખાંસી આવવાના એક કારણ અસ્થમા પણ ગણાય છે તેના કારણે બાળકને છાતીમાં ભારે ફીલ થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગે છે. 
 
આ ઉપાયોથી બાળકોને અપાવો ખાંસીથી આરામ 
શાકર
બાળકને શાકર ખવડાવો 
આ ગળામાં નમી રાખવામાં મદદ કરે છે. તેથી ગળાની ખરાશ, બળતરા અને ખાંસીથી છુટકારો મળશે. તમે ઈચ્છો તો તેની જગ્યા બાળકને ટૉફી પણ ખવડાવી શકો છો. 
 
હળદર અને મધ 
તેમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરસ અને ઔષધીય ગુણ હોય છે. તેથી 1 ચમચી મધમાં ચપટી ખવડાવો. મધથી ગળુ ભીનો રહેશે. તેથી સૂકી ખાંસીથી આરામ મળશે. પણ જો આ વાતની કાળજી રાખવી કે આ મિશ્રણ 1 વર્ષથી મોટા બાળકોને જ ખવડાવું. 
 
નીલગિરી તેલ 
2 વર્ષથી ઓછા બાળકની ખાંસી દૂર કરવા માતે તેના માથાની પાસે નીલગીરી તેલ 2-3 ટીંપા નાખો. તેનાથી તેની બ6દ નાક ખુલવમાં મદદ મળશે. તમે ઈચ્છો તો તેને કોઈ કપડામાં નાખી પણ બાળકને સૂંઘાડી શકો છો. છતાંય તેને બાળક પર કપડા પર લગાવવું પણ ઉચિત રહેશે. પણ તેનાથી બાળકની ગળાની મસાક કરવાની ભૂલ ન કરવી. 
 
હળદર 
હળદર પોષક તત્વ,  એંટી બેક્ટીરિયલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેથી તેનો સેવન કરવાથી ઈમ્યુનિટી તીવ્ર હોવાની સાથે મોસમી રોગોથી બચાવ રહે છે. તેના માટે તમે બાળકને દરરોજ સૂતા પહેલા હૂંફાણા દૂધમાં 2 ચપટી હળદર મિક્સ કરી પીવડાવી શકો છો. જો નાનુ બાળક છે તો તેંને આ દૂધ કેટલીક ચમચી પીવડાવો. તેનાથી બાળકની ખાંસી, શરદી વગેરે મોસમી રોગોથી રાહત મળશે.