નાનકડા ફુદીનાના 7 મોટા ફાયદા
ભોજનનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમા વિટામિન એ ની માત્રા જોવા મળે છે. જે આપણને અનેક બીમારીઓથી બચાવે છે. આજે અમે તમને ફુદીનાના પાનથી થનારા અનેક ગુણો વિશે બતાવીશુ.
1. મોઢાની દુર્ગંધ અને દાંતોનો દુ:ખાવો - ફુદીનાના સૂક પાનનું ચૂરણ મોઢામાંથી દુર્ગંધને દૂર અને દાંતોના દુખાવાથી છુટકારો અપાવે છે.
2. ખીલ માટે લાભદાયક - ફુદીનાના પાનને વાટીને ચેહરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ચેહરો ધોઈ લો. તેનાથી ફેસ એકદમ સાફ થઈ જાય છે.
3. બ્લડ પ્રેશર કંટ્રોલ - હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ખાંડ વગર અને મીઠી નાખીને ફુદીનાનુ સેવન કરો.
4. શરદી અને ખાંસી માટે લાભકારી - ફેફ્સામાં જામેલ કફને શરીરમાંથી બહાર કાઢવા માટે ફુદીનો કામ આવે છે. ફુદીનાને સુકાવીને તેનુ બારીક ચૂરણ બનાવી લો. આ માટે તેને દિવસમાં 2 વાર પાણી સાથે લો.
5. જખમ - ફુદીનાઓ રસ કોઈપણ પ્રકારના જખમ પર લગાવવાથી જખમ જલ્દી ભરાય જાય છે. જો જખમમાંથી દુર્ગંધ આવી રહી છે તો તેના પાનનો લેપ બનાવીને લગાવો.
6. હિચકી હટાવે - ફુદીનાનો રસ પીવાથી હિચકીને ઓછી કરી શકાય છે. જો હિચકી બંધ ન થાય તો લીંબૂનો રસ મિક્સ કરીને સાથે તેનુ સેવન કરો.
7. પીરિયડ્સ પ્રોબ્લેમ - જો કોઈ યુવતીને પીરિયડ્સને યોગ્ય સમય પર નથી આવતો તો ફુદીનાના સૂકા પાનનું ચૂરણ બનાવીને તેને મધ સાથે લેવાથી આ બીમારીને દૂર કરી શકાય છે. તેનુ સેવન દિવસમાં 2-3 વાર કરો.