- બીજને ગમે ત્યારે જેમ તેમ ન વાવશો જેથી કરીને મોટા થવા પર તે વિચિત્ર ન લાગે. હંમેશા બે છોડની વચ્ચે થોડુક અંતર જરૂર રાખો. તેનાથી છોડને મૂળ ફેલાવવા માટે સરળતા થશે.
- ઘર આંગણે છોડ લગાવવાથી ગરમીઓમાં તે ફ્રેશ હવા આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ સારા હોય છે. નાની નાની ક્યારીઓ બનાવ્યા બાદ બાકી બચેલી જમીન પર મેટ ગ્રાસ લગાવી દો. જો તમે ઈચ્છતા હોય તો ક્યારીઓને સ્ટાર અને સર્કલનો શેપ પણ આપી શકો છો.
- ગાર્ડન બનાવવાનો અને ઝાડ પાન ઉછેરવાનો વધારે એક ફાયદો છે કે તે ફેંગશુઈના પ્રભાવને વધારી દે છે. ફેંગશુઈને અનુસાર સ્વસ્થ્ય અને મજબુત છોડ તમારા ઘરમાં ખુશીઓ લાવે છે અને ઘરના દરેક ખુણાને ઉત્સાહથી ભરી દે છે.
- ઝાડ અને છોડ વિકિરણોને પણ પ્રભાવશાળી ઢંગ વડે અવશોષિત કરે છે. જે વેલો દિવાલ પર ચઢે છે તેના વડે તે જગ્યાની ઉદાસીનતા ઓછી કરી શકાય છે.