શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

ઘરેલુ જ્યોતિષીય નુસખા અપનાવો અને સંકટ દૂર કરો

કાર્યોમાં સફળતા માટે પ્રાતઃ કાળે ભગવાન સૂર્યને નમસ્કાર કરતી વખતે એક કાચા સૂતરનો તાર લઈ તેમાં ૭ ગાંઠો ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જપતા વાળવી. આ તારને પછી સામેવાળા ખિસ્સામાં રાખવાથી કાર્ય અવશ્ય સફળ થશે.

જ્વર દૂર કરવા માટે : શુક્રવાર અને મંગળવારના દિવસે પીપળાનું દાંતણ કરવું અને દાંતણ કર્યા પછી ફરીને તેને પીપળાના વૃક્ષના મૂળમાં નાખી દેવું.

અચલ સંપત્તિ માટે દરેક શુક્રવારના દિવસે નિયમપૂર્વક કોઈ ભૂખી વ્યક્તિને ભોજન કરાવવું અને શુક્રવારના દિવસે ૭૫૦ ગ્રામ ગોળ ગાયને ખવરાવવો.

સંપત્તિમાં બરકત માટે શકલ પક્ષમાં ગુરુવારના દિવસે જળકુંભી લાવીને પીળા કપડાંમાં તે બાંધી ઘરમાં લટકાવવાથી ધન - ધાન્યની બરકત થાય છે.

જાડાપણું દૂર કરવો માટે રવિવારના દિવસે શુદ્ધ રોગની વીંટી પહેરવાથી જાડાપણું દૂર થાય છે.