શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : ગુરુવાર, 31 ડિસેમ્બર 2020 (18:57 IST)

વર્ષ 2021માં આ મંત્રોના જાપથી દૂર કરો ગ્રહદોષ અને મેળવો સુખ સમૃદ્ધિ

વર્ષ 2021 હવે શરૂ થવાનુ છે. નવુ વર્ષ નવોજોશ, નવી ઉમંગ અને સુખ સમૃદ્ધિને લઈને આવે,  ઘર પરિવારમાં ખુશીઓ અને સકારાત્મકતા કાયમ રહે એ માટે જ્યોતિષના કેટલાક ઉપાય ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. જ્યોતિષ મુજબ વ્યક્તિના બધા પ્રકારના સુખ અને પરેશાનીઓનો સીધો સંબંધ કુંડળીમાં રહેલા નવ ગ્રહ હોય છે. કુંડળીમાં રહેલા કેટલાક ગ્રહ શુભ ફળ આપે છે. તો કેટલાક અશુભ ફળ. જે જાતકોની કુંડળીમાં ગ્રહો સંબંધિત કોઈ દોષ છે તો તેને દૂર કરવા માટે અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવ્યા છે. વર્ષ 2021 તમારે માટે બધા પ્રકારની ખુશી લઈને આવે આ માટે આવો જાણીએ 9 ગ્રહ સાથે જોડાયેલા કેટલાક ઉપાય 
 
સૂર્ય ગ્રહ 
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બધા 9 ગ્રહમાં સૂર્યનુ વિશેષ મહત્વ હોય છે. વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને માનસન્માન સૂર્ય દેવની કૃપાથી મળે છે. કુંડળીમાં ગ્રહોનો રાજા સૂર્ય જો પ્રબળ છે તો જાતક રાજા મંત્રી સેનાપતિ પ્રશાસક પ્રમુખ ધર્મગુરૂ વગેરે બને છે. પણ જો સૂર્ય કુંડળીમાં નબળો છે તો તે શારીરિક સફળતાની દ્રષ્ટિથી ખૂબ જ ખરાબ પરિણામ આપે છે. સૂર્ય સંબંધી દોષને દૂર કરવા અને સૂર્યનો શુભ પ્રભાવ મેળવવા માટે રોજ ઉગતા સૂર્યના દર્શન કરીને તેમને ૐ ઘૃણિ સૂર્યાય નમ કહેતા જળ અર્પિત કરવુ જોઈએ. રોજ સૂર્યને જળ આપ્યા પછી લાલ આસન  પર બેસીને પૂર્વ દિશામાં  મોઢુ કરીને નિમ્ન મંત્રનો  108 વાર જાપ કરો મંત્ર છે 
 
એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાશે જગત્પતે 
અનુકમ્પય માં ભક્ત્યા ગૃહળાધ્ય દિબાક્રર 
 
ચંદ્ર ગ્રહને લગતો ઉપાય 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બધા ગ્રહોમાં ચંદ્રને માતા અને મનનું પરિબળ માનવામાં આવે છે. કુંડળીમાં ચંદ્ર ગ્રહની અશુભતાને લીધે ઘરમાં વિવાદ, માનસિક વિકાર, માતા પિતાની  માંદગી, નબળાઇ, પૈસાની કમી જેવી સમસ્યાઓ ઉભી થાય  છે. ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરવા અને તેની સાથે સંકળાયેલ દોષોને દૂર કરવા શક્ય તેટલું  સ્વચ્છતા પર ધ્યાન આપો. ચંદ્ર દેવતાના નીચે આપેલા મંત્રોનો જાપ ચંદ્રની ખામીને દૂર કરવા અને તેની કૃપા મેળવવા માટે ખૂબ જ શુભ અને અસરકારક છે.
મંત્ર છે ૐ એં ક્લી સોમાય નમ: ૐ શ્રાં શ્રીંં શ્રીં સ: ચન્દ્રમસે નમ: 
 
મંગળ ગ્રહ 
 
ખૂબ હિંમતવાન અને શકિતશાળી પૃથ્વી પુત્ર મંગળ ગ્રહને  ગ્રહોનો કમાન્ડર માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ મુજબ કોઈપણ વ્યક્તિમાં ઉર્જાના પ્રવાહને જાળવવા મંગળ દોષની અસર દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકો સામાન્ય રીતે શનિની જેમ જ મંગળની અશુભતાથી ડરતા હોય છે. મંગળદેવતાની કૃપા પ્રાપ્ત કરવા અને તેની સાથે જોડાયેલા દોષ  દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરો..
 
ૐ અં અંગારકાય નમ: ધરણીગર્ભસંભૂતં વિદ્યુત્કાંતિ સમપ્રભમ 
કુમારં શક્તિહસ્તં ચ ભૌમમાવાહ્યમ 
 
બુધ  ગ્રહ 
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ બુદ્ધિ, વેપાર, ત્વચા અને સંપત્તિનો ગ્રહ છે. બુધનો રંગ લીલો છે. તે નવ ગ્રહોમાં શારીરિક દ્રષ્ટિએ સૌથી નબળો અને બૌદ્ધિક રૂપે સૌથી આગળ  છે. આવી સ્થિતિમાં, બુધદેવની કૃપા અને શુભ્રતા દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો બુધ ગ્રહ તમારી કુંડળીમાં નબળો અથવા નિમ્ન શ્રેણીનો છે તો  તમે બુધ ગ્રહની શુભતા મેળવવા માટે બુધના બીજ મંત્રનો જાપ કરો 
 
ૐ બ્રાં બ્રીં બ્રોં સ બુધાય નમ 
 
ગુરૂ ગ્રહ  
 
જ્યોતિષ શાસ્ત્રમાં, દેવતાઓના ગુરુ, બૃહસ્પતિ એક શુભ દેવતા અને ગ્રહ માનવામાં આવે છે. ગુરુના શુભ પ્રભાવથી સુખ, શુભેચ્છા, લાંબુ આયુષ્ય, ધાર્મિક લાભ વગેરે મળે  છે. સામાન્ય રીતે દેવગુરુ બૃહસ્પતિ શુભ ફળ આપે છે, પરંતુ જો તે કુંડળીમાં જો આ કોઈ પાપી ગ્રહ સાથે બેસે છે તો કેટલીકવાર અશુભ સંકેતો પણ આપવા માડે છે. આવી સ્થિતિમાં ગુરુની કૃપા મેળવવા અને તેની સાથે સંકળાયેલ ખામીને દૂર કરવા માટે, રોજ તુલસી અથવા ચંદનની માળા વડે 108 વાર ૐ બૃ બૃહસ્પતયે નમ નો 108 વાર  જાપ કરવો જોઈએ.
 
શુક્ર 
 
જ્યોતિષ શાસ્ત્રમાં, શુક્ર ગ્રહને સુખ સુવિધાનો પરિબળ માનવામાં આવે છે. શુક્ર ગ્રહથી જ, કોઈ જાતકના જીવનમાં સ્ત્રી, વાહન, પૈસા વગેરેની ખુશીઓનુ આગમન થાય છે.  જ્યારે કુંડળીમાં શુક્ર પ્રબળ હોય છે, ત્યારે આ તમામ આનંદ પ્રાપ્ત થાય છે, પરંતુ જો અશુભ હોય તો તમને તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. વિવાહિત જીવનમાં ખુશીનો અભાવ રહે છે. શુક્ર ગ્રહની શુભતા મેળવવા માટે આ મંત્રનો જાપ કરો.
 
ઓમ શું  શુક્રાય નમ::.
 
શનિ 
 
કુંડળીમાં શનિની અસર જેટલી જ ઘાતક છે એટલી જ શુભફળ પ્રદાન કરનારી છે. શનિ એ કર્મના ભગવાન છે અને તમારા કરેલા કાર્યનું ફળ આપે છે. જો  તમારી કુંડળીમાં શનિ દોષ છે, તો તમારે તેને દૂર કરવા માટે પહેલા તમારા વર્તનને બદલવું આવશ્યક છે. ખાસ કરીને તમારા માતાપિતાનું સન્માન કરો અને તેમની સેવા કરો. શનિદેવ સાથે સંકળાયેલા મંત્રોનો જાપ પણ કરો. શનિદેવનો આ મંત્ર ખૂબ જ અસરકારક છે. શનિદેવને સમર્પિત આ મંત્રનો જાપ કરવાથી ચોક્કસ તમને ફાયદો થશે. 
 
મંત્ર છે ૐ શં શનૈશ્ચરાય નમ: ૐ પ્રાં પ્રી પ્રોં સં શનૈશ્ચરાય નમ 
 
રાહુ - કુંડળીમાં રાહુ અને કેતુ છાયા ગ્રહો છે.  કુંડળીમાં  જો રાહુ અશુભ સ્થિતિમાં છે  તો વ્યક્તિને સરળતાથી સફળતા મળતી નથી અને મુશ્કેલીઓ ચાલુ રહે છે.  કુંડળીમાં રાહુનો દોષ દૂર  કરવા માટે તેના મંત્રનો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય  છે.
મત્ર છે ૐ ભ્રાં ભ્રોં સ: રાહવે નમ: 
 
કેતુ - કેતુ ગ્રહના દોષને કારણે વ્યક્તિ મોટેભાગે ભ્રમનો શિકાર બને છે. જેને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેતુની આડઅસરથી બચવા માટે સૌ પ્રથમ તમે તમારા વડીલોની સેવા કરવાનું શરૂ કરો. સાથે જ   કેતુના આ મંત્રોનો જાપ કરો. ૐ કેં કેતવે નમ :