ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

ગણેશ અને લક્ષ્મીજીની પૂજા એક સાથે કેમ કરવામાં આવે છે ?

કોઈ પણ શુભ કાર્ય ગણેશ પૂજન વગર થઈ શકતુ નથી. ગણેશજી બુદ્ધિ આપે છે. એ વિઘ્ન વિનાશક અને વિઘ્નેશ્વર છે. જો માણસ પાસે ખૂબ ધન -સંપદા છે અને બુદ્ધિનો અભાવ છે તો એ એનો  સદ્દપયોગ નહી કરી શકે. 
આથી માણસનું  બુદ્ધિમાન અને વિવેકી હોવું પણ જરૂરી છે. ત્યારે જ તેને ધનનું મહત્વને સમજાય છે. ગણેશ લક્ષ્મીની એક સાથે પૂજાનું  મહ્ત્વ ને ઘણી વાર્તાઓના માધ્ય્મથી જણાવ્યુ  છે. આવો જાણીએ આવી જ વાર્તાઓ 

 
પાર્વતીજીના બે પુત્ર હતા .આથી લક્ષ્મીજીએ એમના એક પુત્રને દત્તક  લેવાનું કહ્યું. પાર્વતી જાણતી હતી કે લક્ષ્મીજી એક સ્થાન પર લાંબા સમય સુધી રહેતા નથી. આથી એ બાળકની સાર-સંભાળ નહી કરી શકે. પણ એમના દુ:ખને સમજતા તેમને પોતાનો પુત્ર ગણેશને એમને સોંપી દીધો . 
 
આથી લક્ષ્મીજી બહુ પ્રસન્ન થઈ અને એણે કહ્યું કે એ ગણેશનું ખૂબ ધ્યાન રાખશે અને જે સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્મીની પૂજન કરે છે એમને  એમના પહેલા ગણેશજીની પૂજા કરવી પડશે ત્યારે જ મારી પૂજા પૂરી થશે . ત્યારથી આજ સુધી દરેક તહેવાર  પર લક્ષ્મીજીની પૂજા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે.