શનિવાર, 17 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

એક લીલા રંગની થેલીથી દૂર થઈ શકે છે તમારી ધનની સમસ્યા

ધનની સમસ્યા
શુ તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો ? કે પછી કમાણીથી વધુ ખર્ચ થઈ જાય છે. કે નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યુ ? ધન આવીને વપરાય જાય છે તો ગભરાશો નહી.  આજે અમે તમને એક એવો ઉપાય બતાવી રહ્યા છે જેને કરવાથી તમારી આ બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ ઉપાયો આ પ્રકારના છે.. 
 
ઉપાય 
 
કોઈ ગુરૂ પુષ્ય યોગ અને શુભ ચન્દ્રમાંના દિવસે સવારે લીલા રંગના કપડાની નાનકડી થેલી તૈયાર કરો. શ્રી ગણેશના ચિત્ર અથવા મૂર્તિ આગળ આ થેલી મુકીને સંકટનાશન ગણેશ સ્તોત્રના 11 પાઠ કરો. ત્યારબાદ આ થેલીમાં 7 મગના દાણા, 10 ગ્રામ આખા ધાણા, એક પંચમુખી રુદ્રાક્ષ. એક ચાંદીનો રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ મુકીને જમણા મુખના ગણેશ જીને શુદ્ધ ઘીના મોદકનો નૈવૈદ્ય લગાવો.  આ થેલી તિજોરી કે કેશ બોક્સમાં મુકી દો. ગરીબો અને બ્રાહ્મણોને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થશે. 1 વર્ષ પછી નવી થેલી બનાવીને બદલતા રહો.