પુત્ર પ્રાપ્તિ માટે શ્રીકૃષ્ણ યજ્ઞ કરો
વાસુદેવ યજ્ઞ એટલે કે કૃષ્ણ યજ્ઞ કે જે ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. મનુએ પુત્રની પ્રાપ્તિ માટે આ યજ્ઞ કર્યો હતો જેનાથી તેઓને દસ પુત્રો થયા હતાં. આવો ઉલ્લેખ ભાગવતમાં કરવામાં આવ્યો છે. આ યજ્ઞની વિધિ ખુબ જ પ્રાચીન છે. પુત્ર પ્રાપ્તિ માટે વાસુદેવ યજ્ઞ નીચે પ્રમાણે કરવો જોઇએ. * શાસ્ત્રોના મતાનુસાર કૃષ્ણ યજ્ઞને સહવિધિ સાંગોપાંગ વિધિથી સમ્પન કરવા માટે આચાર્યનું પહેલું કર્તવ્ય છે કે તે યજ્ઞકર્તા પાસે પહેલા ઉપવાસ અને પ્રાયશ્ચિત કર્મ કરાવડાવે. * ત્યાર બાદ જ યજ્ઞકર્તા પંચાંગ અને આચાર્ય વગેરેની વિધિ સહિત પુજા શરૂ કરે. * ત્યાર બાદ યજ્ઞકર્તા પોતાની ધર્મ પત્ની સહિત ભાઇ-બંધુ, ઇષ્ટ-મિત્રો સાથે સૂર્યાર્ધ્ય આપીને શંખ ધ્વનિની સાથે યજ્ઞમંડપના પશ્ચિમ દ્વારથી જ પ્રવેશ કરો. * ત્યારબાદ આચાર્ય દિગરક્ષણ, મંડપપ્રોક્ષણ, વાસ્તુપુજન. ન્યાસપુજન, પ્રધાનપુજન, યોગિનીપુજન, ક્ષેત્રપાલપુજન, અરનીમંન, પંચભૂસંસ્કાર સાથે અગ્નિસ્થાપન, કુશકળ્ડિકા, ગ્રહપુજન, આધાર-આજ્યભાગત્યાગ,ગ્રહ હવન, ન્યાસ તથા પ્રધાન દેવતાનું પુરૂષસુક્તના મંત્રોથી પુજન હવન કરાવો.* મંડપ પુજન તથા પ્રધાન દેવતાની આહુતિ પૂર્ણાહુતિ સુધી દરેક દિવસે કરો. * પ્રધાનાહુતિ પૂર્ણ થયા બાદ ગાયના દૂધથી બનાવેલ ખીર દ્વારા પુરૂષ સુક્તથી અને કૃષ્ણસહ નામાવલીથી આચાર્ય હવન કર્મ સંપન્ન કરો. આની ઉપરાંત આવાહિત દેવતાઓનું વૈદિક મંત્રો દ્વારા કે પછી તેમના નામના મંત્રોથી હવન કરાવો. ઉપરાંત અગ્નિપુજન સ્વિષ્ટકૃત, નવાહુતિ, દશદિકપાલદિબલિ, પુર્ણાહુતિ તેમજ વસોર્ધારાકર્મ પૂર્ણ કરાવો.કૃષ્ણયજ્ઞ- ભગવાન વિષ્ણુના અવતર સોળ કળાઓથી પૂર્ણ ભગવાન કૃષ્ણનો આ યજ્ઞ પાંચ, સાત, આઠ કે નવ દિવસમાં સમાપ્ત થાય છે. કૃષ્ણ યજ્ઞમાં પુરૂષ સુક્તના સોળ મંત્રોથી અને કૃષ્ણ નામાવલી દ્વારા હવન થાય છે. આ યજ્ઞને પુરો કરવા માટે સોળ કે એકવીસ વિદ્વાનો સહિત આચાર્યનો પણ સમાવેશ થાય છે. કૃષ્ણ યજ્ઞનું મુહૂર્ત- ચૈત્રમાં, ફાગણમાં, જેઠમાં કે પછી વૈશાખમાં અથવા માગશરમાં કૃષ્ણયજ્ઞ કરાવવામાં આવે છે. આ મહિનામાં કરાયેલ યજ્ઞ શુભકારક હોય છે.
કૃષ્ણ યજ્ઞ સ્વાહાકાર મંત્ર: ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्।स भूमिर्ठ. सर्व्वत स्पृत्वाऽत्यतिष्ठद्दशांगुलम्॥१॥कृष्णाय स्वाहा।पुरुष ऽएवेदर्ठ. सर्वं यद्भूतं यच्च भाव्यम्।उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति॥२॥कृष्णाय स्वाहा।एतावानस्य महिमातो ज्यायांश्च पूरुषः।पादोऽस्य व्विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि॥३॥कृष्णाय स्वाहा।त्रिपादूर्ध्व ऽउदैत्पुरुषः पादोऽस्येहाभवत्पुनः।ततो व्विष्वंग व्यक्रामत्साशनानशने ऽअभि॥४॥कृष्णाय स्वाहा।ततो व्विराडजायत व्विराजो ऽअधि पूरुषः।स जातो ऽअत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः॥५॥कृष्णाय स्वाहा।तस्माद्यज्ञात्सर्व्वहुतः सम्भृतं पृषदाज्यम्।पशूँस्ताँश्चकक्रे व्वायव्यानारण्या ग्राम्याश्च ये॥६॥कृष्णाय स्वाहा।तस्माद्यज्ञात्सर्व्वहुत ऽऋचः सामानि जज्ञिरे।छन्दार्ठ.सि जज्ञिरे तस्माद्यजुस्तस्मादजायत॥७॥कृष्णाय स्वाहा।तस्मादश्वा ऽअजायन्त ये के चोभयादतः।गावो ह जज्ञिरे तस्मात्तस्माज्जाता ऽअजावयः॥८॥कृष्णाय स्वाहा।तं यज्ञं बर्हिषि प्रौक्षन्नपुरुषं जातमग्रतः।तेन देवा ऽअयजन्त साध्या ऽऋषयश्च ये॥९॥कृष्णाय स्वाहा।यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन्।मुखं किमस्यासीत्किं बाहू किमूरू पादा ऽउच्येते॥१०॥कृष्णाय स्वाहा।ब्राह्मणोऽस्य मुखमासीद् बाहू राजन्यः कृतः।ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यार्ठ. शूद्रोऽ अजायत॥११॥कृष्णाय स्वाहा।चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो ऽअजायत।श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत॥१२॥कृष्णाय स्वाहा।नाब्भ्या ऽआसीदन्तरिक्षर्ठ. शीर्ष्णो द्यौः समवर्त्तत।पद्भ्यां भूमिर्दि्दशः श्रोत्रात्तथा लोकां ऽअकल्पयन्॥१३॥कृष्णाय स्वाहा।यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत।वसन्तो ऽस्यासीदाज्यं ग्रीष्म ऽइध्मः शरद्धविः॥१४॥कृष्णाय स्वाहा।सप्तास्यासन्परिधयस्त्रिः सप्त समिधः कृताः।देवा यद्यज्ञं तन्वाना ऽअबघ्नन्पुरुषं पशुम्॥१५॥कृष्णाय स्वाहा।यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्म्माणि प्रथमान्यासन्।ते हनाकं महिमानः सचन्त यत्र पूर्व्वे साध्याः सन्ति देवाः॥१६॥कृष्णाय स्वाहा।(
Source - શુક્લ યજુર્વેદ 31/1-16 માંથી)