અમરનાથ યાત્રા - શુ આપ જાણો છો ગુફામાં હિમ શિવલિંગ કેવી રીતે બને છે ?
પવિત્ર ગુફામાં બનનારુ શિવલિંગ કે હિમલિંગના નિર્માણની સ્ટોરી કોઈ ચમત્કારથી ઓછી નથી. આ શિવલિંગનુ નિર્માણ ગુફાની છત પરથી ટપકી રહેલ પાણીના ટીપાથી થાય છે. પાણીના રૂપમાં પડનારા ટીપાં એટલા ઠંડા હોય છે કે નીચે પડતા જ બરફ બનીને એક કઠણ પદાર્થ બની જાય છે. જે પ્રાકૃતિક સ્થિતિયોમાં આ શિવલિંગનુ નિર્માણ થય છે એ વિજ્ઞાનના તથ્યોથી વિપરિત છે.
વિજ્ઞાન મુજબ બરફ જામવા માટે લગભગ શૂન્ય ડિગ્રી તાપમાનની જરૂર હોય છે. પણ અમરનાથ યાત્રા દરમિયાન આ સ્થાનનુ તાપમાન શૂન્યથી ઉપરથ થઈ જાય છે. પ્રાકૃતિક હિમથી બનતુ હોવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહે છે. ચન્દ્રમાં ઘટવા અને વધવાની સાથે સાથે આ બરફનો આકાર પણ વઘ-ઘટ થતો રહે છે.
શ્રાવણની પૂનમના દિવસે આ પોતાના પુરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધી ધીરે ધીરે નાનો થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ શિવલિંગ ઠોસ બરફનુ બનેલુ હોય છે. જ્યારે કે ગુફામાં મોટાભાગે કાચો બરફ હોય છે.