1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. સાજ-શણગાર
Written By
Last Updated : મંગળવાર, 24 જૂન 2025 (13:09 IST)

લગ્નના દિવસે વરરાજા ઘોડી પર જ શા માટે બેસે છે?

groom sit on horse
લગ્નના દિવસે વરરાજાને ઘોડી પર બેસીને જાન લઈને કન્યાના ઘરે જાય છે ત્યારે ઘોડી પર બેસે છે. તમે જાણો છો કે વરરાજા ઘોડા પર  નહી પણ ઘોડી પર જ શા માટે બેસાડવામાં આવે છે.  છે અને તેની પાછળનું રહસ્ય શું છે તો આજે તમને તમારા સવાલનો જવાબ મળી જશે


ઘોડાનો સ્વભાવ વધુ ગુસ્સાવાળો હોય છે. તાલીમ વિના તેને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે. તેની તીવ્ર ઉર્જાને કારણે, તેનો ઉપયોગ પ્રાચીન કાળથી યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે લડવા માટે કરવામાં આવે છે.
 
કારણ કે લગ્ન માટે શક્તિ નહીં, સમર્પણની જરૂર હોય છે. એટલા માટે વરરાજા ઘોડા પર નહીં પણ ઘોડી પર સવાર થઈને આવે છે, જે આજના સમય પ્રમાણે વધુ અનુકૂળ છે.

ઘોડી પર બેસવાનો અર્થ એ છે કે છોકરો પોતાનું નવું જીવન શરૂ કરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં, વરરાજાએ ઘોડી પર બેસવું પડે છે જેથી તે સાબિત કરી શકે કે તે પોતાના વૈવાહિક જીવનની લગામ સારી રીતે સંભાળવા સક્ષમ છે કે નહીં.

ઘોડી પર બેસવાનો અર્થ શું છે?
ઘોડા કરતાં ઘોડીને સંભાળવી સહેલી હોય છે, પણ તે વધુ રમતિયાળ, બુદ્ધિશાળી અને ચપળ હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે છોકરો ઘોડી પર સવારી કરે છે, ત્યારે સમજાય છે કે તેણે પોતાના બાલિશ વર્તન પર કાબુ મેળવી લીધો છે, અને લગ્ન જીવનની જવાબદારીઓ નિભાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Edited By- Monica Sahu