શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 23 માર્ચ 2019 (11:48 IST)

દિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ

દરેકના ઘરમાં સવાર સાંજ દિવાબત્તી તો થતી  હોય છે. પૂજામાં દિવાનુ ખૂબ મહત્વ હોય છે. એવુ કહેવાય છે કે દિવાબત્તી વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. પુરાણોનું  માનીએ તો પૂજામાં ઘી અને તેલનો દિવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવવાનો મતલબ હોય છે કે પોતાના જીવનમાંથી અંધકાર હટાવીને પ્રકાશ ફેલાવવો. પ્રકાશ પ્રતીક હોય છે જ્ઞાનનુ. તેથી કહેવાય છે કે પૂજામાં દીવો પ્રગટાવીને આપણે અંધકારને પોતાના જીવનથી બહાર કરી દઈએ છીએ અને અજવાળારૂપી જ્ઞાનથી સકારાત્મકતાથી જીવનને ભરીએ છીએ. .