ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 28 એપ્રિલ 2021 (02:24 IST)

Vaishakh Month 2021 : આજથી વૈશાખ મહિનો શરૂ, આ કાર્યોને કરવાથી થશે શુભ ફળની પ્રાપ્તિ

હિન્દુ પંચાગનો બીજા મહિનાને વૈશાખના નામથી ઓળખાય છે. આ વર્ષ 28 મે એટલે કે આવતીકાલે વૈશાખ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. વૈશાખનો મહિનો 28 એપ્રિલ 2021થી 26 મે સુધી રહેશે. ધાર્મિક માન્યતઓ મુજબ બ્રહ્માજીએ આ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. વૈશાખનો મહિનો 28 એપ્રિલ 2021 થી વધુ 26 મે સુધી રહેશે.  ધાર્મિક માન્યતા મુજબ બ્રહ્માજીએ આ મહિનાના બધા મહિનામાં શ્રેષ્ઠ કહે છે. આ મહિનામાં સ્નાન-દાન કરવાનુ ખૂબ વધુ મહત્વ હોય છે. આ મહિને કેટલાક વિશેષ કાર્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
તરસ્યાને જળ પીવડાવો - તરસ્યા લોકોને જળ પીવડાવવાનુ પુણ્ય કામ થાય છે.  વૈશાખના મહિનામાં તરસ્યા લોકોને જળ પીવડાવવાનુ મહત્વ વધુ હોય છે. આ મહિને ગરમી પોતાના ચરમ પર હોય છે. જેને કારણે જળ પીવડાવવાનુ વધુ મહત્વ હોય છે. આ મહિનામાં તરસ્યાને પાણી જરૂર પીવડાવો. તમે તમારા ઘર, દુકાનની બહાર પ્યાઉ પણ લગાવી શકો છો. ધાર્મિક માન્યતાઓ મુજબ આ મહિનામાં પ્યાઉ લગાવનારા વ્યક્તિને વૈકુંઠ ધામમાં સ્થાન પ્રાપ્ત થાય છે. 
 
પંખો દાન કરો -  આ મહિને ગરીબ લોકોને પંખાનુ દાન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.  આ મહિનામાં પંખો દાન કરવાથી વ્યક્તિના બધા પાપ કપાય જાય છે. 
 
અન્નદાન - ધાર્મિક માન્યતા મુજબ અન્નદાન કરવાનુ  પણ ખૂબ વધુ મહત્વ હોય છે, એવુ પણ કહેવાય છે કે આ સંસારમાં અન્નદાનના સમાન કોઈ અન્ય દાન નથી. આ મહિનામાં ગરીબ લોકોને અન્નદાન જરૂર કરો. 
 
પાદુકા કે જૂતા- ચપ્પલનુ દાન કરો 
 
આ મહિને ગરીબ લોકોને પાદુકા કે જૂતા - ચપ્પલનુ દાન કરવુ જોઈએ. ધાર્મિક માન્યતાઓ મુજબ આવુ કરવાથી બધા પ્રકારના દુ:ખ-દર્દથી છુટકારો મળે છે.