1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 16 ડિસેમ્બર 2015 (12:33 IST)

દિલવાલે ફિલ્‍મમાં કામ કરવા માટે મને મારી દિકરીએ ખુબ મનાવી હતી - કાજોલ

શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્‍મ દિલવાલે શુક્રવારથી રિલીઝ થઇ રહી છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્‍મની વધુ એક વાત બહાર આવી છે. અભિનેત્રી કાજોલ કે જે પાંચ વર્ષે ફિલ્‍મી પરદે પરત આવી છે તે કહે છે મેં કદી વિચાર્યુ પણ નહોતું કે મને રોહિત શેટ્ટીની ફિલ્‍મ મળશે. આ ફિલ્‍મમાં શાહરૂખની હિરોઇન તરીકે પહેલી પસંદગી હું નહોતી. મને તો છેલ્લે-છેલ્લે આ ફિલ્‍મ માટે પસંદ કરવામાં આવી હતી. મારી પહેલા અનેક અભિનેત્રી હરોળમાં હતી. કાજોલ કહે છે દિલવાલે ફિલ્‍મમાં કામ કરવા  માટે મને મારી દિકરી ન્‍યાસાએ પણ ખુબ મનાવી હતી. ફિલ્‍મમાં શાહરૂખ, કાજોલ ઉપરાંત વરૂણ ધવન અને ક્રિતી સેનનની જોડી પણ છે. ફિલ્‍મની સીધી ટક્કર રણવીરસિંહ, દિપીકા અને પ્રિયંકાની ‘બાજીરાવ મસ્‍તાની' સાથે થશે.