શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : શનિવાર, 26 ઑક્ટોબર 2019 (16:20 IST)

Diwali 2019: ધનવાન થવુ છે તો લક્ષ્મી ગણેશની મૂર્તિ સામે મુકો આ 5 વસ્તુ

જીવનની ગાડી ચલાવવા માટે જે વસ્તુનુ વ્યક્તિને સૌથી વધુ જરૂર હોય છે તે છે પૈસા. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના બેંક અને પર્સમાં હંમેશા પૈસા ભર્યા રહે જેથી તેની કોઈપણ જરૂરિયાત અધુરી ન રહે.  આ દિવાળીએ જો તમે પણ તમારા પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા કાયમ રાખવા મનગો છો તો  હંમેશા લક્ષ્મી ગણેશની મૂર્તિ સાથે આ 5 વસ્તુઓ તમારી તિજોરી કે લોકરમાં મુકો તમારી જમાપુંજી વધવા માંડશે 
 
 
- લક્ષ્મી ગણેશની મૂર્તિ સાથે જ તમારી ચેક બુક મુકો અને જો તમારા ઘરમાં શ્રીયંત્ર છે તો તેને પણ સાથે મુકી શકો છો. 
- બેંક ખાતાની પાસબુકને પણ શ્રીયંત્ર કે લક્ષ્મી ગણેશની મૂર્તિ સાથે જ મુકવી જોઈએ. આવુ કરવાથી તમારુ બેક બેલેસ વધશે 
- તમારા સોના અને ચાંદીના ઘરેણાને પણ દેવી લક્ષ્મી અને ગણેશની મૂર્તિ સાથે મુકવા જોઈએ. આવુ કરવાથી મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ કાયમ બની રહે છે. 
 
- વીમો અને શેયર બજારમાં તમારુ જે પણ રોકાન કર્યુ છે તેના બધા કાગળને દેવી લક્ષ્મી અને ગણેશની મૂર્તિ કે શ્રી યંત્ર સાથે મુકો. આવુ કરવાથી તમારુ રોકાન તમને વિશેષ લાભ આપશે.  તમે તમારા પૈસા જ્ય પણ મુકો છો ત્યા કાળી હળદર કે તેનુ એક પૈકેટ જરૂર મુકો.  તેનાથી તમારા ધનને કોઈની નજર નહી લાગે અને ધન સંપત્તિ દિવસો દિવસ વધશે.