ગુરુવાર, 30 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

કાળી ચૌદસ 2018 - આ શુભ મુહૂર્તમાં કરો દીપદાન.. દરિદ્રતા દૂર થશે

Yam puja
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને સતત પાંચ દિવસ સુધી તેની ધૂમ રહે છે. ધનતેરસના બીજા દિવસે નાની દિવાળી ઉજવાય છે. આ દિવસને નરક ચતુર્દશી કે યમ દિવાળી પણ કહેવાય છે. યમ દિવાળી જ આખા વર્ષમાં એક એવો દિવસ છે જ્યારે યમરાજને દિવો બતાવવામાં આવે છે. 
 
નરક ચતુર્દશીના રૂપમાં પણ આ દિવસ ઉજવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે તેલ લગાવીને ચિચડીના પાન પાણીમાં નાખીને સ્નાન કરવાથી નરકથી મુક્તિ મળે છે. આ ઉપરાંત આ દિવસે દીવો પ્રગટાવવાથી યમ દેવતા ખુશ થાય છે અને અકાળ મોતથી મુક્તિ મળે છે. 
 
આ દિવસે ઘરની મહિલાઓ દરિદ્રતા જા લક્ષ્મી આવ.. કહીને ગંદગી ઘરની બહાર કાઢે છે. આ નાની દિવાળીએ દરિદ્રતાને ભગાવવા અને લક્ષ્મીને આવવાનો સમય મતલબ શુભ મુહૂર્ત સાંજે 5:20 થી 6:00 સુધી છે. આ શુભ મુહૂર્તમાં યમ દેવતાને દીપ દાન કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીનુ આગમન થાય છે. 
 
કાળી ચૌદસ પૂજા વિધિ 
 
આ દિવસે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા સ્નાન કરી સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવુ જોઈએ 
આ દિવસે તલનુ તેલ લગાવ્યા પછી સ્નાન કરવુ શુભ માનવામાં આવે છે 
આ દિવસે શરીર પર ચંદન લેપ લગાવીને ન્હાવાથી ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાનુ વિધાન છે. સાંજે ઘરના ઉંબરા પર દીપ પ્રગટાવો અને યમ દેવની પૂજા કરો.