શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (14:57 IST)

Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવના દસ દિવસોમાં આ વસ્તુઓનો લગાવો ભોગ, બાપ્પા પૂરી કરશે દરેક મનોકામના

Ganesh Chaturthi 2022 Bhog: ભાદરવા મહિનાની ચતુર્થી તિથિ પર સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ ઉપલક્ષ્યમાં દર વર્ષે ઉત્સવ ઉજવાય છે. ગણેશ ઉત્સવનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થઈને અનંત ચતુર્દશી તિથિના દિવસે સુધી ચાલે છે.  10 દિવસ સુધી ચાલનારો આ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે.  આ દરમિયાન ઘર અને મોટા મોટા પંડાલોમાં ભગવાન ગણેશની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022ના રોજ ઉજવાશે.  આ દિવસથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે અને દસ દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશના રોજ ગણપતિના વિસર્જન સાથે જ સમાપ્ત કરવામા આવે છે. આ 10 દિવસમાં ગણપતિ બાપ્પાને 10 જુદી જુદી વસ્તુઓનો ભોગ(નૈવેદ્ય) લગાવવામાં આવે છે.  એવુ કહેવાય છે કે આ 10 દિવસ દરમિયાન ગણપતિને પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.  આવો જાણીએ ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાને કયો ક્યો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. 
 
 ગણેશ ઉત્સવ પર બાપ્પાને લગાવો આ વસ્તુઓનો ભોગ 
 
- ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશની જન્મજયંતિના દિવસે મોદક ચઢાવો. તેનાથી જલ્દી જ બાપ્પા ખુશ થશે.
-  માન્યતાઓ અનુસાર, ગણેશ ઉત્સવના બીજા દિવસે ભગવાન ગણપતિને મોતીચૂરના લાડુ ચઢાવવા શ્રેષ્ઠ છે.
-  ત્રીજા દિવસે દંત દયા વંતની પૂજામાં ચણાના લોટના લાડુ સામેલ કરવા જોઈએ.
- ભગવાન ગણેશને કેળા અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. તેથી ગણેશ ઉત્સવ દરમિયાન પ્રસાદમાં કેળાના ફળ જરૂર સામેલ કરવા જોઈએ.
- ગણેશજીને મખાણાની ખીર ભાવે  છે. આથી તેમને પ્રસાદ તરીકે મખાણાની ખીર ચઢાવો.
-  ગણેશજીની પૂજામાં નારિયેળ અવશ્ય સામેલ કરવું.
 - વિઘ્ન વિનાશક ગણેશની પૂજામાં સૂકા મેવાનાના લાડુ ચઢાવો.
-  એવું માનવામાં આવે છે કે દૂધથી બનેલો કલાકંદ ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. પૂજામાં કલાકંદનો ભોગ લગાવો. 
- ભગવાન લંબોદરને કેસરમાંથી બનાવેલ શ્રીખંડનો નૈવેદ્ય તરીકે ભોગ લગાવો.   
 
આ ઉપરાંત, તમે વિવિધ પ્રકારના મોદક અર્પિત કરીને બાપ્પાને ખુશ કરી શકો છો.