હરડેનું સેવન શરીરને રાખે તંદુરસ્ત
હરડે ત્રિફળા ચૂરણથી બનેલ આયુર્વેદિક જડી બૂટી છે. આ અનેક રીતે આરોગ્ય માટે લાભકારી હોય છે. તેને હરીતકી પણ કહેવામાં આવે છે. આ દેખાવમાં નાનકડી હરડે અનેક ગુણોથી ભરેલી છે. તેના સેવનથી અનેક બીમારીઓમાંથી ચુટકારો મળે છે. આજે અમે તમને હરડેના કેટલાક કમાલના ફાયદા વિશે બતાવીશુ.
1. વજન ઘટાડે - હરડે પેટને સાફ કરવા અને પાચન તંત્રને સુધારીને તેને મજબૂત કરવાનુ કામ કરે છે. આયુર્વેદ મુજબ આ જડી-બુટી પોષક તત્વોનો સારી રીતે સમાવેશ કરી શરીરને સ્વસ્થ બનાવે છે. આ ઉપરાંત આ જડી બુટી શરીરને ડિટૉક્સ કરી વજન ઓછુ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે.
2. સ્વાસ્થ્ય લાભ - તેનાથી શરીર લાંબા સમય સુધી મજબૂત બનેલુ રહે છે અને આ હાડકાંને તાકત આપવાનુ કામ કરે છે.
3. કબજિયાત - કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે હરડે વરદાન જેવુ છે. કબજિયાત દૂર કરવા માટે હરડેના પલ્પને ચપટી મીઠા સાથે ખાવ અને 1/2 ગ્રામ લવિંગ અથવા તજ સાથે લેવાથી કબજિયાત મિનિટોમાં દૂર થાય છે.
4. મસૂઢો પર સોજો - હરડેનો લેપ પાતળી છાશમાં મિક્સ કરી તેનાથી કોગળા કરવાથી સોજો મટી જાય છે અને દાંતન દુખાવામાં પણ આરામ મળે છે.
5. ઉલટી - ઉલ્ટી થાય તો હરડ અને મધનું સેવન કરવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે.
6. આખોના રોગ - હરડેને વાટીને તેનો લેપ આંખોની આજુબાજુ લગાવવાથી આંખોનો રોગ દૂર થાય છે તેના સેવનથી આંખો પણ તેજ રહે છે.
7. મોઢું આવવુ - જો મોઢું આવ્યુ હોય તો નાની હરડેને પાણીમાં ઘસીને ચાંદા પર લગાવો ચાંદા ઠીક થઈ શકે છે.