શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2016 (11:58 IST)

હરડેનું સેવન શરીરને રાખે તંદુરસ્ત

હરડે ત્રિફળા ચૂરણથી બનેલ આયુર્વેદિક જડી બૂટી છે.  આ અનેક રીતે આરોગ્ય માટે લાભકારી હોય છે. તેને હરીતકી પણ કહેવામાં આવે છે. આ દેખાવમાં નાનકડી હરડે અનેક ગુણોથી ભરેલી છે.  તેના સેવનથી અનેક બીમારીઓમાંથી ચુટકારો મળે છે. આજે અમે તમને હરડેના કેટલાક કમાલના ફાયદા વિશે બતાવીશુ. 
 
1. વજન ઘટાડે - હરડે પેટને સાફ કરવા અને પાચન તંત્રને સુધારીને તેને મજબૂત કરવાનુ કામ કરે છે. આયુર્વેદ મુજબ આ જડી-બુટી પોષક તત્વોનો સારી રીતે સમાવેશ કરી શરીરને સ્વસ્થ બનાવે છે.  આ ઉપરાંત આ જડી બુટી શરીરને ડિટૉક્સ કરી વજન ઓછુ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. 
 
2. સ્વાસ્થ્ય લાભ - તેનાથી શરીર લાંબા સમય સુધી મજબૂત બનેલુ રહે છે અને આ હાડકાંને તાકત આપવાનુ કામ કરે છે. 
 
3. કબજિયાત - કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે હરડે વરદાન જેવુ છે. કબજિયાત દૂર કરવા માટે હરડેના પલ્પને ચપટી મીઠા સાથે ખાવ અને 1/2 ગ્રામ લવિંગ અથવા તજ સાથે લેવાથી કબજિયાત મિનિટોમાં દૂર થાય છે. 
 
4. મસૂઢો પર સોજો  - હરડેનો લેપ પાતળી છાશમાં મિક્સ કરી તેનાથી કોગળા કરવાથી સોજો મટી જાય છે અને દાંતન દુખાવામાં પણ આરામ મળે છે. 
 
5. ઉલટી -  ઉલ્ટી થાય તો હરડ અને મધનું સેવન કરવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે. 
 
6. આખોના રોગ - હરડેને વાટીને તેનો લેપ આંખોની આજુબાજુ લગાવવાથી આંખોનો રોગ દૂર થાય છે  તેના સેવનથી આંખો પણ તેજ રહે છે. 
 
7. મોઢું આવવુ - જો મોઢું આવ્યુ હોય તો નાની હરડેને પાણીમાં ઘસીને ચાંદા પર લગાવો ચાંદા ઠીક થઈ શકે છે.