શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (17:43 IST)

વાર- વાર થઈ જાય છે ખાંસી કે શરદી તો ડાઈટમાં જરૂર શામેલ કરવી આ 10 વસ્તુઓ

ઘણા લોકો એવા હોય છે જેને વાર -વાર ખાંસી કે શરદી થઈ જાય છે. તેમજ મૌસમમાં થોડો પણ ફેરફાર હોય છે તેનો ગળુ પણ ખરાબ થઈ જાય છે. તમારી સાથે પણ જો આવુ હોય છે તો અમે તમને જણાવી રહ્યા છે કેટલીક એવી વસ્તુ જેને તમે તમારી ડાઈટમાં જરૂર શામેલ કરવી જોઈએ. 
 
ગ્રીન ટી અને બ્લેક ટી 
ગ્રીન ટી અને બ્લેક ટી બન્ને જ ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારી હોય છે. પણ એક દિવસમાં તેને એક કે બે કપ જ પીવું. તેનો વધારે માત્રામાં સેવન કરવાથી તમારી ભૂખ ઘટી શકે છે. કે ખવામાં અનિચ્છા જેવી પરેશાની થઈ શકે છે. 
 
કાચુ લસણ 
જો તમને હાડકાઓમાં દુખાવાની ફરિયાદ રહે છે તો તમે તમારી ડાઈટમાં કાચા લસણને શામેલ કરવુ જોઈ. કાચું લસણ ખાવુ પણ રોગ પ્રતિરોધક ક્ષમતાને બૂસ્ટ કરવામાં મદદગાર હોય છે. તેમાં પૂરતી માત્રામાં એલિસિન, જિંક, સલ્ફર, સેલિનિયમ અને વિટામિન એ અને ઈ હોય છે. 
 
દહીં   
ઘણા લોકોને દૂધ નહી પચાતો દૂધ પીવાથી તેણે સાઈડ ઈફેક્ટ જોવા મળે છે. પણ દહીં એક એવુ ખાદ્ય પદાર્થ છે જે બધા લોકો માટે ફાયદાકારી છે. જે તમને પેટ બળતરાની ફરિયાદ હોય તો તમે દહીંનો સેવન 
કરી શકો છો. દહીંથીઈમ્યુન પાવર વધે છે. 
 
ઓટસ 
દરરોજ ઓટસનો સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત હોય છે. 
 
વિટામિન સી 
લીંબૂ અને આંમળા પૂરતી માત્રામાં વિટામિન સી હોય છે જે રોગ પ્રતિરોધક ક્ષમતાને દુરૂસ્ત રાખવામાં મદદગાર હોય છે. 
 
અંજીર 
અંજીર પોટેશિયમ, મેંગેનીઝ અને એન્ટી ઓક્સિડેન્ટ તત્વોથી ભરપૂર છે. તે શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તેમાં હાજર ફાઈબર લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત કરે છે..
 
અળસી 
ઓમેગા 3 અને ફેટી એસિડનો સારુ સ્ત્રોત છે. 
 
મશરૂમ 
મશરૂમથી માત્ર રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત નહી હોય પણ આ સફેદ રક્ત કોશિકાના કાર્યને વધારી શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે. 
 
ગાજર
ગાજરના સેવનથી લંગ કેંસની શકયતા ઓછી હોય છે. મોતિયાબિંદની ફરિયાદ થતા કે આંખના રોગોથી બચવા માટે ગાજરનો સેવન કરતા રહેવુ જોઈએ.