મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2016 (16:38 IST)

ડિપ્રેશનથી બચાવનારી દવાઓ આક્રમક બનાવી શકે

ડિપ્રેશનથી બચાવનારી દવાઓ બાળકો તેમજ કિશોરોને વધારે આક્રમક બનાવી શકે છે. એટલે સુધી કે આ દવાઓ તેમને આત્મહત્યા જેવી પ્રવૃત્તિ માટે પણ પ્રેરણા આપી શકે છે. એક શોધમાં આ ચેતવણી આપવામાં આવી છે.

ડેનમાર્કના શોધકર્તાઓને અનુસાર ડિપ્રેશનની દવાઓથી બાળકો તેમજ કિશોરોમાં આક્રમકતા તેમજ આત્મહત્યાના પ્રમાણનો ભય બમણો થઇ જાય છે.  જોકે શોધકર્તાઓને ડિપ્રેશનવિરોધી દવાઓ અને આક્રમકતા તેમજ તણાવ વચ્ચે કોઇ સીધો સંબંધ જાણવા મળ્યો નથી. આ બાબતના મૂળ સુધી પહોંચવા માટે શોધકર્તાઓએ 18,526 દર્દીઓની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન તેમને ડિપ્રેશનની દવાઓ આપવામાં આવી હતી.

શોધકર્તાઓએ ભલામણ કરી છે કે બાળકો, કિશોરો તેમજ યુવાનોને બની શકે તેટલી ઓછી ડિપ્રેશનની દવા લેવી જોઇએ. કારણ કે  તેનાથી તેમને ગંભીર નુકસાન પહોંચવાની શક્યતા છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ડિપ્રેશન માટે દવા લેવાની જગ્યાએ વૈકલ્પિક વ્યાયામ  અથવા તો સાઇકોથેરાપી ઉપર વધારે જોર આપવું જોઇએ.