ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 23 નવેમ્બર 2022 (08:53 IST)

શિયાળામાં એડિઓ ફાટવાથી થઈ છે હાલત ખરાબ તો આ ટિપ્સ છે તમારા કામની

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં પગમી એડીઓ ફાટવાની સમસ્યા ઘણા લોકોને પરેશાન કરે છે. કેટલાક લોકોની પગની એડીઓની હાલત એટલી ખરાબ હોય છે કે ક્યારેક તેમાંથી લોહી પણ નીકળે છે. આવી સ્થિતિમાં ઘણી પીડા અનુભવાય છે. તેનું કારણ એ છે કે શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે. જેના કારણે તે ફાટવા માંડે  છે.
 
 જો સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે તો સમસ્યા વધી જાય છે. કેટલીકવાર તે સંક્રમણનુ કારણ બની જાય છે. જો તમને પણ આ સમસ્યા થતી હોય તો અહીં જણાવેલા કેટલાક ઉપાય અજમાવવાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે.
 
એડિયો ફાટવાનું કારણ આ પણ હોઈ શકે
 
- શરીરમાં મિનરલ્સ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વોની કમી 
 
- પગના તળિયા વધુ પડતા શુષ્ક.
 
- નહાવા માટે વધુ પડતા ગરમ પાણીનો ઉપયોગ કરવો.
 
- થાઇરોઇડ રોગથી.
 
- શિયાળાની અસરને કારણે.
 
- ચંપલ વગર ચાલવાથી.
 
- તળિયાની સફાઈ યોગ્ય રીતે ન કરવી.
 
- પાણી અથવા તરલ પદાર્થોનુ ભરપૂર માત્રામાં સેવન ન કરવુ.

આ ઉપાય આવશે કામ 
 
1. મુઠ્ઠીભર લીમડાના પાનને પીસીને પેસ્ટ બનાવો. તેમાં ત્રણ ચમચી હળદર પાવડર નાખો. આ પછી, આ પેસ્ટને ફાટેલી પગની ઘૂંટીઓ પર લગાવો અને 30 મિનિટ માટે છોડી દો. તે પછી પગને હુંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય સતત થોડા દિવસો સુધી કરવાથી તમે ઘણી રાહત અનુભવશો.
 
2.  દરરોજ રાત્રે સૂતી વખતે પગને સારી રીતે સાફ કરો. આ પછી સમાન માત્રામાં ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરીને લગાવો. તેનાથી તમારી હીલ્સ થોડા દિવસોમાં સોફ્ટ થઈ જશે.
 
3. રાત્રે સૂતા પહેલા પગને સારી રીતે ધોઈને સાફ કર્યા પછી, તિરાડ પડી ગયેલી એડી પર એક ચમચી હૂંફાળું નારિયેળ તેલ લગાવો. થોડીવાર માલિશ કરો, પછી મોજાં પહેરીને સૂઈ જાઓ. દરરોજ થોડા દિવસો સુધી સતત આમ કરવાથી ઘણી રાહત મળશે. આ સિવાય પેટ્રોલિયમ જેલી લગાવવાથી એડીની તિરાડો ઝડપથી ભરાઈ જાય છે.
 
4. એવોકાડો અને કેળાનું પેક ફાટેલી હીલ્સને ઠીક કરવા માટે પણ ખૂબ અસરકારક છે. આ માટે એક પાકેલું કેળું અને અડધો પાકો એવોકાડો લો અને તેને બ્લેન્ડ કરો. તેમાં થોડું નારિયેળ તેલ મિક્સ કરો અને પગ ધોયા પછી આ પેકને પગની ઘૂંટીઓ પર લગાવો અને થોડીવાર મસાજ કરો. લગભગ 30 મિનિટ માટે આ રીતે રહેવા દો. તે પછી તમારા પગને ધોઈને સાફ કરો.
 
5. દરરોજ રાત્રે થોડા સમય માટે તમારા પગને નવશેકા લીંબુ પાણીમાં બોળી રાખો. આ પછી, એક-એક ચમચી નારિયેળ તેલ અને ઓલિવ તેલ લો અને તેમાં 5-6 ટીપાં ટ્રી ઓઈલ મિક્સ કરો. આ પછી આ તેલથી પગની માલિશ કરો અને સૂઈ જાઓ. આનાથી તમારી તિરાડની સમસ્યા થોડા જ સમયમાં દૂર થઈ જશે.