1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

આ શુ થઈ રહ્યુ છે રિયાલિટી શોઝ માં...??

N.D
રિયાલીટી શોઝ હવે ટીઆરપી વધારવા કે કોઈ બીજા કારણોસર તેના કલાકારો વધુ પડતા નખરા બતાવી રહ્યા છે. કેટલાક શોઝમાં એ પણ જોવા મળે છે કે કલાકારો હરીફ બને છે તો તેઓ નિર્ણાયકો સાથે વિવાદ કરવામાં પાછળ નથી હટતા. 'ઝલક દિખલા જા, નચ બલિયે, ઝૂમ ઈંડિયા વગેરે થોડાક ઉદાહરણો છે.

જેમાં હરીફોએ લક્ષ્મણ રેખા ઓળંગી હતી. જેમ કે ઝૂમ ઈંડિયા ઝૂમમાં શેખર સુમન અને સંજીવની ભિલોસાથે ડે આનંદજી જેવા સંગીતકાર સાથે લડ્યા હતા. આ જ શો માં છવિ મિત્તલ અને નિર્ણાયક મહેશ ભટ્ટ વચ્ચે સંબંધો બગડ્યા હતા. તાજુ ઉદાહરણ લઈએ તો બાલાજીનો રિયાલીટી શો 'કભી પ્યાર કભી યાર'માં ગૌરી પ્રધાને બબાલ કરી હતી.

આ સિવાય 'કોન જીતેગા બોલીવુડ કા ટિકટ' શો માં ટિવકલ વાજપેયી અન્ય પ્રતિભાગીયો પર નિશાન તાકવાનુ ભૂલતી નહોતી પણ જ્યારે તેમની રેટિંગ સૌથી છેલ્લી આવી તો બીજા હરીફો તેમની પર આંગળી ન ઉઠાવી શકે તેથી તેમણે શો જ છોડી દીધો. પ્રશ્ન એ થાય છે કે રિયાલિટી શોજમાં હરીફોની રજુઆત કરતા તેમના વિવાદો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.