શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

ફિલ્મમાં કામ કરવા માંગતા હતા કરણ

ધારાવાહિક 'સારથી' દ્વારા પ્રસિધ્ધિ પામેલ ટીવી કલાકાર કરણ ગ્રોવરે અત્યાર સુધી ત્રણ સીરિયલોમાં કામ કર્યુ છે અને તેઓ ઈચ્છે છે કે જલ્દી તેઓ ફિલ્મોમાં પણ નસીબ અજમાવી જુએ. કેમિકલ ઈંજિનિયર કરણે ઉમંગ કુમારની ઈવેંટ મેનેજમેંટ કંપનીમાં કામ પણ કર્યુ છે.

સ્ટાર પ્લસ પર સારથી ધારાવાહિકમાં કામ કરવા દરમિયાન તેમને 'મેરી આવાજ સુનો' સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી. બંને સીરિયલમાં પૂરતો સમય ન આપી શકવાને કારણે તેમણે સારથી ફિલ્મ છોડવાનુ નક્કી કર્યુ. મેરી આવાજ.... પછી તેઓ વો રહેનેવાલી મહેલોકી સીરિયલ કરવા માંડ્યા. કરણ પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે અને તેમણે પોતાના વિશે વધુ બતાવવાનો સંકોચ થાય છે. જો કે તેઓ આવતા પાંચ વર્ષની અંદર ફિલ્મોમાં કામ કરવાનુ મન બનાવી ચૂક્યા છે.