શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Updated : શનિવાર, 24 એપ્રિલ 2021 (09:02 IST)

Chaitra Purnima 2021 : ક્યારે છે ચૈત્ર પૂર્ણિમા, જાણો તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનુ વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર પૂર્ણિમા હિંદુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા હોય છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મોત્સવ પણ ઉજવાય છે. આ દિવસે હનુમાનજીએ માતા અંજનીના ખોળે જન્મ લીધો હતો. હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી આ દિવસનુ મહત્વ પણ વધી જાય છે આવો જાણીએ ચૈત્ર પૂર્ણિમા તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ 
 
ચૈત્ર પૂર્ણિમા તિથિ
 
27 એપ્રિલ, 2021 મંગળવાર 
 
પૂર્ણિમા તારીખ પ્રારંભ - 26 એપ્રિલ 2021, સોમવાર, બપોરે 12 વાગીને 44 મિનિટથી 
પૂર્ણિમા તારીખ સમાપ્ત - 27 એપ્રિલ, 2021, મંગળવાર, સવારે 9.01 વાગ્યે
 
ચૈત્ર પૂર્ણિમા પૂજા વિધિ
 
- સવારના સ્નાન વગેરેથી પરવારીને ઉપવાસનો સંકલ્પ લો.
- પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. પરંતુ હાલ કોરોના વાયરસને કારણે સ્વસ્થ રહેવા માટે ઘરમાં જ રહેવું વધુ સારું છે. તમે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકો છો.
- આ દિવસે વિધિ વિધાનથી ભગવાન હનુમાનની પૂજા કરો.
- આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે.
- હનુમાન ચાલીસાના પાઠ કરો.
- હનુમાનજીને ભોગ લગાવો અને પછી હનુમાનજી અને બધા દેવી દેવતાઓની આરતી કરો 
 
ચૈત્ર પૂર્ણિમાનુ મહત્વ
 
- ચૈત્ર પૂર્ણિમાનું વ્રત કરવાથી અનેકગણુ ફળ મળે છે.
- આ દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે.
- આ પાવન દિવસે હનુમાનજીની પૂજા કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે.