જ્યારે પાંસળીમાં દુ:ખાવો થાય ત્યારે
સારો સાબુ, કપૂર અને તજનું તેલ લઈને મલ્હમ બનાવો. આ મલ્હમ પાસંળીઓના દુ:ખાવામાં ખુબ જ ફાયદો આપે છે. મલ્હમ બનાવવાની રીત- પહેલા સાબુ લઈને એકદમ પાતળા પાતળા પડ ઉતારો. આ રીતે 50 ગ્રામ જેટલા પડ ઉતાર્યા બાદ તેને ખાંડણીમાં નાંખીને જરૂર મુજબ તજનું તેલ નાંખીને ઘુંટો. ઘુંટતાં-ઘુંટતાં સાબુ તજના તેલમાં મલ્હમ જેવો બની જવો જોઈએ. એટલે કે સાબુ સંપુર્ણ રૂપે તેલમાં ગળી જવો જોઈએ. આ પછી 10 ગ્રામ કપૂર નાંખીને ફરીથી ઘુંટો અને તેને શીશીમાં ભરી લો. ન્યુમોનિયા વખતે પાંસળીમાં થતા દુ:ખાવાને દૂર કરવા થોડુક તેલ લગાવીને સારી રીતે શેક કરો. આનાથી ગમે તેવો દુ:ખાવો થતો હશે તો પણ તુરંત જ આરામ મળી જશે. સાધારણ દુ:ખાવો હોય તો આને લગાવીને થોડીક વાર તડકામાં બેસવાથી પણ આરામ મળી જશે.