શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. વેબદુનિયા વિશેષ 10
  3. જ્યોતિષ 2011
Written By

સમૃદ્ધિ અને પૈસો મેળવવા સૂર્યને ગળ્યુ પાણી ચઢાવો

N.D
શાસ્ત્રો મુજબ પાંચ મુખ્ય દેવી દેવતા બતાવવામાં આવ્યા છે. શ્રી ગણેશ, શ્રી વિષ્ણુ, શ્રી શંકર, શ્રી દેવી અને શ્રી સૂર્યદેવ.

આ પાંચ દેવતામાં સૂર્યને પ્રત્યક્ષ ભગવાન માનવામાં આવે છે. કારણ કે આ નિયમિત રૂપે દેખય છે અને સંપૂર્ણ બ્રહ્માંડને ઉર્જા પ્રદાન કરે છે. તેની વિધિસર પૂજાથી ભક્તની બધી મનોકામનાઓ આપમેળે જ પૂર્ણ થાય છે.

રોજ બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને નિત્ય કર્મથી પરવારીને સૂર્યને પાણી ચઢાવવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહથી સંબંધિત દોષોને દૂર કરવા માટે આ ઉપય સર્વશ્રેષ્ઠ છે. સૂર્યને અર્ધ્ય અર્પિત કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. વ્યક્તિના ચેહરા પર તેજ વધી જાય છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. પ્રતિદિન જળ ચઢાવનારા વ્યક્તિના ચેહરા પર તેજ વધે છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. રોજ જળ ચઢાવનારી વ્યક્તિનો ચેહરો ઉત્પન્ન તેજ સમ્મોહનનું કાર્ય કરે છે.

જો કોઈ વ્યક્તિ સવારે જલ્દી ઉઠીને પાણીમાં ખાંડ નાખીને સૂર્યને ચઢાવે તો તેને ખૂબ જ ઓછા સમયમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરિવાર, સમાજ કે ઓફિસ વગેરે સ્થાનો પર સન્માન મળશે. જેનાથી ધન સંબંધી કાર્યોમાં આવી રહેલ અડચણ દૂર થાય છે. તમારી આસપાસ રહેનારા લોકો સાથેના સંબંધોમાં મીઠાશ વધે છે. પરસ્પર સહયોગ મળે છે.