1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2012
Written By વેબ દુનિયા|

તંત્ર-મંત્ર : ધન કમાવવાના અચૂક ટોટકાં

ધન કમાવવાના ઉપાયો

P.R
દરેક વ્યક્તિ વધુને વધુ ધન કમાવવાનો દરેક શક્ય પ્રયત્ન કરે છે. આ પ્રયત્નોથી કેટલાક વ્યક્તિ સફળ થઈ જાય છે તો કેટલાક સફળ થતા નથી. જે સફળ નથી થઈ શક્તા તેઓ વધુ પ્રયત્નો કરે છે. અમે તમન અહી કેટલાક એવા સહેલા ઉપાય બતાવી રહ્યા છે, જેને કરવાથી ફળ જરૂર પ્રાપ્ત થશે.

- દરેક ગુરૂવારે તુલસીના કૂંડામાં દૂધ અર્પણ કરવાથી આર્થિક સંપન્નતામાં વધારો થાય છે.

- શુક્લપક્ષની પંચમીના દિવસે ઘરમાં શ્રીસુક્તમાં આપેલા મંત્રો(ઋચા)ની સાથે આહુતિ આપવાથી પણ ગરીબી દૂર થાય છે.

- ભોજન કરતા પહેલા ગાય, કૂતરા કે કાગડા માટે એક રોટલી કાઢી મુકો. આવુ કરવાથી તમને ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો નહી કરવો પડે.

- મહિનાના પ્રથમ બુધવારની રાત્રે કાચી હળદરની ગાંઠ બાંધીને ભગવાન કૃષ્ણને અર્પિત કરો. બીજા દિવસે તેને પીળા દોરામાં બાંધીને તમારા જમણા હાથમાં બાંધી લો.

- ગૂલર(ઉમરડો)ની જડને કપડામાં લપેટીને, ચાંદીના કવચમાં નાખીને ગળામાં પહેરવાથી પણ આર્થિક સમૃદ્ધિ આવે છે.

- તમારી તિજોરીમાં 9 લક્ષ્મીકારક કોડીઓ અને એક તાંબાનો સિક્કો મુકવાથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે.

- નિયમિત રૂપે કેલાના ઝાડમાં પાણી નાખવાથી અને ઘી નો દિવો પ્રગટાવવથી દરિદ્રતા દૂર થાય છે.

- શનિવારે તમારા પલંગ નીચે એક વાસણમાં સરસિયાનુ તેલ મુકો. બીજા દિવસે એ તેલમા અડદની દાળના ભજિયા બનાવી કૂતરાને અને ગરીબોને ખવડાવવાથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે.

આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવાથી તમને થોડા જ સમયમાં તેનુ સારુ પરિણામ જોવા મળશે.