ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: શનિવાર, 4 જુલાઈ 2020 (16:49 IST)

Chandra Grahan 2020: 5 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, આ રાશિઓ પર પડશે સૌથી વધુ અસર

5 જુલાઈએ ગુરુ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ જોવા મળશે. આ વર્ષ વર્ષ 2020 નું ત્રીજું ચંદ્રગ્રહણ હશે. જૂન મહિનાની શરૂઆતમાં, બે ગ્રહણ થયા છે. 5 જૂને ચંદ્રગ્રહણ હતું અને 21 જૂને સૂર્યગ્રહણ હતું. જોકે, 5 જુલાઈએ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.  
 
ગ્રહણ ક્યાં અને કેવુ થશે ? 
 
5 જુલાઈએ આ ચંદ્રગ્રહણ એક ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં દેખાશે. આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણમાં ચંદ્રના આકારમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તેમા માત્ર ચંદ્ર પર એક આછો પડછાયો હશે. ચંદ્રગ્રહણમાં ચંદ્ર પર પૃથ્વીના ફક્ત બાહ્ય છાયા જ પડશે. . જ્યોતિષ શાસ્ત્રમાં, આવા ચંદ્રગ્રહણને ગ્રહણની શ્રેણીમાં મુકવામાં આવતુ નથી. 
 
સુતક કાળ માન્ય નહી રહે  
 
5 જુલાઈ પડનારુ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી તેથી સુતક કાળને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સુતક અવધિ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા અને સૂર્યગ્રહણના 12 કલાક પહેલાં હોય છે.. સુતક અવધિ અશુભ સમય માનવામાં આવે છે, જે દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ સિવાય, પૂજા અને ભોજન લેવાની પણ મનાઈ હોય છે 
 
આ રાશિઓ પર પડશે ચંદ્રગ્રહણની અસર 
 
સૂર્ય ગ્રહણ પછી 5 જઉલાઈનારોજ ગુરૂ પૂર્ણિમાના દિવસે વર્ષનુ ત્રીજી ચદ્રગહણ પડી રહ્યુ છે. 2017 પછી ગુરૂ પૂર્ણીમાના દિવસે આ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે. જો કે અઅ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે ત્ની ચદ્રના આકાર પર કોઈ ફેર ન દેખાય. ચંદ્રગ્રહણની આ રાશિઓ પર જરૂર અસર જોવા મળશે.  જેને કારણે આપણા જીવન પર સારો અને ખરાબ પ્રભાવ જોવા મળશે.  
 
 વર્ષના આ ત્રીજા ચંદ્ર ગ્રહણના પ્રભાવથી 12 રાશિઓમાંથી 5 રાશિઓએ વધુ સજાગ અને સતર્ક રહેવાની જરૂર છે. આ રાશિઓ પર ગ્રહણની વિપરિત અસર પડશે. આવો જાણીએ એ રાશિઓ જેના પર ચંદ્રગ્રહની વિપરિત અસર પડશે. 
 
મિથુન રાશિ પર ચંદ્રગ્રહણની સૌથી વધુ અસર પડશે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો અને ઉપાય કર્યા પછી જ ઘરેથી નીકળો. તમારા સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રાખો.
 
સિંહ રાશિના જાતકો માટે  આ ગ્રહણ થોડુ ભારે હોઈ શકે છે. આ સમયે, તમારે જમીન અને વાહનોની ખરીદીવાના ચક્કરમાં પડવુ ન જોઈએ અને બીજે ક્યાંય પણ પૈસા ફસાવવો ન જોઈએ, નહીં તો રિટર્નમાં મુશ્કેલી આવી શકે છે. તમારે ધંધામાં વધુ મહેનત કરવી પડશે, જેનાથી તમને વધુ નુકસાન નહીં થાય
 
કન્યા રાશિ ઉપર ચંદ્રગ્રહણની અશુભ અસરો જોવા મળશે. આ સમય દરમિયાન તમારે કોઈપણ પ્રકારના સંક્રમથી બચવાની સૌથી વધુ જરૂર છે. ઉપરાંત, તમારે પરિવાર અને પૈસાની બાબતમાં સાવચેતી રાખવી જોઈએ 
 
વૃશ્ચિક રાશિમાં ચંદ્રગ્રહણ ઊંડી અસર છોડશે. આ સમયે તમારી પાસે કેટલીક  વધુ જવાબદારીઓ આવી જશે. જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે. પિતાના સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લો અને વહેલી તકે ઉધાર ચુકવી દો. 
 
 ધનુરાશિ: ચંદ્રગ્રહણની સૌથી વધુ અસર મિથુન રાશિ પછી ધનુ રાશિ ઉપર જોવા મળશે. આ ગ્રહણ તમારા માટે માનસિક તાણ લાવી રહ્યું છે. આ સમયે તમારે પૈસાના મામલામાં ધ્યાન રાખવું પડશે, જેના કારણે તમને દૈનિક ખર્ચમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.