મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (06:34 IST)

આ તારીખે જન્મેલા લોકો ઘણો પૈસો કમાવે છે, બર્થડેટથી જાણો તમે આ લિસ્ટમાં છો કે નહી ?

અંકશાસ્ત્ર અથવા ન્યુમોરોલોજીને પણ જ્યોતિષશાસ્ત્રની એક મહત્વપૂર્ણ શાખા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે રીતે આપણી રાશિ પર કુંડળીમાં હાજર, ગ્રહો અને નક્ષત્રોની અસર પડે છે, તેવી જ રીતે આપણી જન્મ તારીખ પણ આપણા જીવનને અસર કરે છે. મૂલાંકની ગણતરી જન્મ તારીખના આધારે કરવામાં આવે છે.
 
અંકશાસ્ત્રમાં, સંખ્યાઓ 1 થી 9 સુધી આપવામાં આવે છે. રાશિચક્રની જેમ તમામ મૂલાંકનો સંબંધ પણ નવગ્રહોમાંથી કોઈ એક સાથે સંબંધિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તે મૂલાંક સાથે સંકળાયેલ વ્યક્તિના જીવન પર ચોક્કસપણે તે ગ્રહની અસર પડે છે, જેની સાથે તેનો મૂલાંક સંબંધિત હોય છે. આજે અમે તમને બતાવીશુ એવા લોકો વિશે જે અંકશાસ્ત્ર અનુસાર ભાગ્યશાળી માનવામાં આવે છે. આ લોકો તેમના જીવનમાં જે પણ ક્ષેત્રમાં જાય છે, ત્યા ખૂબ નામ અને ખૂબ પૈસા કમાય છે.
 
આ તારીખો પર જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે
 
અંકશાસ્ત્રમાં 9 નંબરને ખૂબ જ પ્રભાવશાળી, મજબૂત અને ભાગ્યશાળી નંબર માનવામાં આવે છે. જો તમારો જન્મ મહિનાની 9, 18 અને 27 તારીખે થયો હોય તો તમે 9 મૂલાંક વાળા   જ કહેવાશો. મૂલાંકની ગણતરી કરવાની રીત છે તમારી જન્મતારીખ નો સરવાળો કરો. ઉદાહરણ તરીકે, જો તમારો જન્મ 27મીએ થયો હોય, તો 2+7=9 બહાર આવશે. 9 એ તમારો મૂલાંક રહેશે. એ જ રીતે બાકીના મૂલાંક  પણ કાઢવામાં આવે છે
 
આ લોકોના જીવનમાં પૈસાની કોઈ કમી નથી રહેતી 
 
અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક નંબર 9 વાળા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને ગજબની શક્તિ ધરાવતા હોય છે. તેઓ જીવનમાં જે કંઈ હાંસલ કરવા માગે છે, તે હાંસલ કરીને તેઓ પોતાનો શ્વાસ લઈ લે છે. બુદ્ધિ અને પ્રબળ શક્તિનો આ સમન્વય તેમને જીવનમાં ઘણી પ્રગતિ આપે છે. તેઓ જ્યાં પણ જાય છે તેઓ ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરે છે. વહીવટમાં પણ તેઓને મોટું પદ મળે છે. તેથી જ તેઓ ઘણું નામ, ખ્યાતિ અને પૈસા કમાય છે. તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.
 
સંપત્તિ સાથે જીવન જીવે છે 
 
9 નંબરના લોકો પોતાનું જીવન ધન સાથે જીવવું પસંદ કરે છે. તેઓ પરિવાર અને મિત્રો પર પણ ઘણો ખર્ચ કરે છે. તેમનું રહેન સહન, ભોજન અને દરેક વસ્તુ સર્વોચ્ચ હોય છે. આ લોકો સ્વભાવે ખૂબ જ હિંમતવાન અને ગુસ્સાવાળા હોય છે. પરંતુ તેમના વિશે કોણ શું વિચારે છે, તેનાથી તેમને બહુ ફરક પડતો નથી. તેઓ પોતાની શરતો પર જીવન જીવે છે. જો કે, તેમના દાંપત્ય જીવનમાં ઉથલપાથલનો સમય આવે છે.