1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2026
  4. Budhaditya Rajyog 2026 and Horoscope

17 સપ્ટેમ્બરે બનશે બુધાદિત્ય રાજયોગ, આ 4 રાશીઓને મળશે આર્થિક લાભ, વેપારમાં પણ થઈ શકે છે નફો

Budhaditya Rajyog
Budhaditya Rajyog
17 સપ્ટેમ્બર, 2026 ના રોજ, સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુધ પહેલાથી જ આ રાશિમાં હાજર છે. પરિણામે, કન્યા રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષશાસ્ત્રમાં, સૂર્યને માન-સન્માન અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે, જ્યારે બુધને બુદ્ધિ, વ્યવસાય અને વાણીનો કારક માનવામાં આવે છે. આ શુભ રાજયોગના પ્રભાવથી 4 રાશિના લોકોને વ્યવસાયમાં આર્થિક લાભ થશે અને કારકિર્દીમાં પ્રગતિ મળશે. ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે:

 
1. કન્યા બુધાદિત્ય રાજયોગ -  કન્યા રાશિના લોકો માટે અત્યંત શુભ રહેશે. તમને નાણાકીય લાભ અને કાર્યસ્થળ પર પ્રમોશન મળી શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. વેપારીઓ નવા સોદા ફાઇનલ કરી શકે છે, જેનાથી ભવિષ્યમાં મોટો નફો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
 
2 . સિંહ આ રાજયોગ - સિંહ રાશિના જાતકો માટે નવી તકો લઈને આવશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ સાથે આવકમાં વધારો થવાની સંભાવના છે. અચાનક નાણાકીય લાભ અને વ્યવસાયમાં પણ સારા નફાના યોગ છે.
 
૩. વૃશ્ચિક સૂર્ય અને બુધની યુતિ - વૃશ્ચિક રાશિ માટે લાભદાયક રહેશે. અટકેલા નાણાં પાછા મળી શકે છે અને પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે, પ્રતિષ્ઠામાં વધારો થશે અને વ્યવસાયિક યોજનાઓ સફળ થશે.
 
4. કુંભ - કુંભ રાશિના જાતકોને પોતાની મહેનતનું યોગ્ય ફળ મળશે. આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે અને નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. વેપારીઓને નોંધપાત્ર નફો થશે, જેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.
 

સૂર્ય ગોચર અને સંક્રાંતિનો સમય

 
17 સપ્ટેમ્બર, 2026 ના રોજ સવારે 7:52 વાગ્યે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ પછી 17 ઓક્ટોબર સુધી સૂર્ય આ જ રાશિમાં રહેશે અને સાંજે 7:50 વાગ્યે તુલા રાશિમાં ગોચર કરશે.

 
જે દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, તેને સૂર્ય સંક્રાંતિ કહેવાય છે. કન્યા સંક્રાંતિનો પુણ્યકાળ 17 સપ્ટેમ્બર, 2026 ના રોજ સવારે 7:55 થી બપોરે 2:16 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે
 
આગળનો લેખ
15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે મંગળવારે આ ૩ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, નારિયળ અને આંકડાની માળા અર્પણ કરો