શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (11:09 IST)

દુ:ખદ તમિલના જાણીતા કોમેડિયન માયિલસામીનુ હાર્ટ એટેકથી નિધન, તારક રત્ન બાદ સાઉથ ઈંડસ્ટ્રીને ફરી લાગ્યો ઝટકો

સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રી માટે ફરી એક માઠા સમાચાર આવી રહ્યા છે. તમિલ કોમેડિયમ માયિલસામીનુ નિધન થઈ ગયુ છે. ટોલીવુડના લોકપ્રિય અભિનેતા અને નેતા નંદામુરી તારક રત્નના નિધન પછી સાઉથ ઈંડસ્ટ્રી માટે આ બીજો મોટો ઝટકો છે. કોમેડિયન માયિલસામે 57 વર્ષના હતા અને હાર્ટ અટેકના કારણે તેમનુ નિધન થયુ છે. રિપોર્ટ્સ મુજબ સાલિગ્રામમ (ચેન્નઈ)માં અભિનેતાની અચાનક તબિયત ખરાબ હોવા પર ચેન્નઈ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા ડોક્ટરોએ જણાવ્યુ કે તેમનુ મૃત્યુ પહેલા જ થઈ ચુક્યુ છે. 
 
સાઉથ ઈંડસ્ટ્રીમાં શોકની લહેર 
 
 અભિનેતાના મોત પછી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં શોકની લહેર છે. સાઉથ સિનેમાના અનેક કલાકારો શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે અને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. કોમેડિયન સાલિગ્રામમાં રહેતા હતા. અચાન તબિયત બગડી જતા પરિવારના લોકો તેમને ચેન્નઈના બોરુર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ ત્યા સુધી પહેલા જ તેમનુ નિધન થઈ ચુક્યુ હતુ. 
 
ફિલ્મી કેરિયર 
મયિલસામીની ફિલ્મો વિશે વાત કરીએ તો, તેણે વિવેક અને વાડીવેલુ સહિતના કોમેડિયનો સાથે 200 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. મયિલસામીએ કંચના (2011), વેદાલમ (2015), ગિલ્લી (2004), વીરમ (2014), કંચના-2 (2015), કાસુ મેલા કાસુ (2018) સહિત વિવિધ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. હાસ્ય કલાકારે 2021ની વિધાનસભા ચૂંટણી પણ વિરુગમ્બક્કમ મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી. માયિલસમીન માત્ર હાસ્ય કલાકાર જ ન હતા, પરંતુ તેમણે અનેક અદ્ભુત પાત્ર ભૂમિકાઓ પણ ભજવી હતી. મયિલસામીએ ફિલ્મો ઉપરાંત ટીવી શો પણ કર્યા હતા. તેણે લોલુપાનું પણ આયોજન કર્યું હતું.