શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Modified: ગુરુવાર, 11 માર્ચ 2021 (11:51 IST)

કેમ ઉજવાય છે મહાશિવરાત્રિ - 100 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રીતે કરો પૂજા વરસશે કૃપા

ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર શિવરાત્રી મહાપર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ ફેસ્ટિવલ 11 ફેબ્રુઆરીએ ઉજવાશે. આ વખતે મહાશિવરાત્રીમાં પણ શિવયોગ બનાવવામાં આવી રહ્યો છે, જે ધનિષ્ઠ નક્ષત્રથી શરૂ થાય છે. જેના કારણે તહેવારનું મહત્વ આ વખતે વધુ વધી ગયું છે. આ શુભ સંયોગની વચ્ચે શિવરાત્રીમાં પૂજા કરવી શિવભક્તો માટે વિશેષ અને લાભકારી માનવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે મહાશિવરાત્રી પર, લગભગ 100 વર્ષ પછી આ શુભ સંયોગો બની રહ્યો છે.
 
ભગવાન શિવ અને દેવી પાર્વતીનાં થયાં હતા લગ્ન 
 
પૌરાણિક કથા મુજબ આ દિવસે સુષ્ટિનો આરંભ મહાદેવના વિશાળ સ્વરૂપ અગ્નિલિંગના ના ઉદય સાથે થયો હતો.  આ દિવસે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે પણ થયા હતા. મહાશિવરાત્રી વર્ષમાં પડતા 12 શિવરાત્રીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાશિવરાત્રીમાં સાંજથી લઈને અડધી રાત સુધી ઉપવાસનુ વિધાન છે 
 
દાનનું વિશેષ મહત્વ 
 
જ્યોતિષ મુજબ મહાશિવરાત્રીના તહેવાર પર સંગમ સ્નાન કર્યા પછી દાન પુણ્યનો નિયમ છે.  મહાશિવરાત્રી પર ભગવાન ભોલેની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. સનાતન ધર્મમાં મહાશિવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીનો તહેવાર ઘરના લોકો સાથે સંન્યાસી માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે સંગમ ખાતે ભક્તોને સ્નાન અને દાન આપવાનું પણ વિશેષ મહત્વ છે.
 
ભગવાન શિવને આ વસ્તુઓ કરો અર્પણ 
મહા શિવરાત્રીના દિવસે ભગવાન ભોલે શંકરને ધતુરો, બિલિપત્ર, બોર ચઢાવવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોલેને પ્રસન્ન કરવા માટે શિવભક્તો દૂધ, ગંગાજળ, મધ અને પંચમૃત સાથે અભિષેક પણ કરે છે.
 
આ મુહૂર્તમાં કરો પૂજા 
 
જ્યોતિષ મુજબ 11 માર્ચે બપોરે 2 વાગીને 40 મિનિટ પર ચતુર્દશી તિથિ શરૂ થઈ  રહી છે. જે બીજા દિવસે 12 માર્ચના રોજ 3.30 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ મુજબ 11 માર્ચના રોજ રાત્રે 11.48 મિનિટથી 12.37 સુધી મહાનિશીથ કાળ મળશે. જએમા ચાર પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.