1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 20 માર્ચ 2021 (18:55 IST)

મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ બન્યા, ટ્વિટ કરી આપી માહિતી

શનિવારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના વાયરસથી ચેપ લાગ્યાં હતાં. તેમણે ટ્વિટ કરીને કોવિડ -19 પોઝિટિવ વિશે માહિતી આપી છે. ઠાકરેએ તેમના સંપર્કમાં રહેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવ્યા પછી આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું  કે, "કોરોનાનાં હળવા લક્ષણો મળ્યા પછી, મે કોરોના ટેસ્ટ કરાવ્યો, જે પોઝીટીવ આવ્યો, મારી સાથે સંપર્કમાં આવેલા બધાને વિનંતી કે તમે પણ ટેસ્ટ કરાવી લો. કોરોના પ્રોટોકોલ્સને અનુસરો અને સલામત રહો.