1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (19:03 IST)

આ મંદિરમાં બીડી ચડાવવાથી પ્રસન્ન થઈ જાય છે ભગવાન, લાગે છે લોકોની લાઈન

ભારતને એવા જ ઋષિ અને મુનિઓનો દેશ નહી કહેવાય છે. આ દેશમાં ધર્મ, ભાવના અને શ્રદ્ધાનું સ્થાન ઊંચું છે, લોકો વિવિધ પ્રકારના ભગવાનની પૂજા કરે છે અને તેમાં તેમને ઘણી ખુશી મળે છે. આ કડીમાં બિહારમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં લોકો મંદિરમાં બીડી ચઢાવે છે. ખાસ વાત એ છે કે મંદિરમાં બીડી ચડાવવા માટે લોકોની લાઈન લાગે છે.
 
ખરેખર, આ મંદિર બિહારના કૈમુર જિલ્લામાં આવેલું છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, અઘોરા પર્વત પર ચડતા પહેલા મંદિર કૈમુર જિલ્લાના પહાડી વિસ્તારમાં આવેલું હતું. આ મંદિરમાં મુસાહરવા બાબાની મૂર્તિ પ્રતિસ્થાપિત છે અને તેઓ આ મંદિરના ભગવાન છે. જેમ કે લોકો અન્ય મંદિરોમાં અગરબત્તીઓ અને દીવા પ્રગટાવે છે. તેમજ  અહીં બાબાના મંદિરમાં પણ બીડીઓ પ્રગટાવવામાં આવે છે.
 
 
એવું કહેવાય છે કે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે અને મંદિરમાં મુશરવા બાબાના દર્શન કર્યા પછી, તેઓ બીડીના બંડલ ખોલીને તેને પ્રગટાવે છે અને પછી તેને અર્પણ કરે છે.અહીં બાબાને બીડી ચઢાવવાથી તે પ્રસન્ન થાય છે અને બીડી આપનારની ઈચ્છા પૂરી કરે છે. એવું પણ માનવામાં આવે છે કે અહીંથી પસાર થતાં 
 દરેક પ્રવાસી બીડી નો ભોગ લગાવે  છે. આમ કરવાથી તેની મનોકામના પૂર્ણ થાય છે.
 
રિપોર્ટ્સ અનુસાર મંદિરના પૂજારીનું નામ ગોપાલ બાબા છે. તે કહે છે કે અહીં સુધી પહોંચવા માટે પહાડી ઉપર જવું પડે છે. દરમિયાન સાવચેતીથી બીડીનું બંડલ લાવવાનું રહે છે  તે પછી જ તમારી યાત્રા પૂર્ણ માનવામાં આવશે. પૂજારીના જણાવ્યા અનુસાર મુશરવા બાબા વર્ષોથી બીડીનો આનંદ લેતા હતા.
 
થતો હતો. જે મુસાફરો અથવા પસાર થતા લોકો બીડી આપવાનું ભૂલી જાય છે, તેઓ ફરીથી પાછા આવે છે અને બીડી આપીને જતા રહે છે.