સંબંધિત સમાચાર
- હોસ્પિટલના કર્મચારી શવગૃહમાં છોકરીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં મળ્યા, લાશો વચ્ચે સબંધ બનાવતા હતા
- મેરઠ: પત્ની સાથે 11 વર્ષ જુનો સંબંધ તોડી નાખ્યો, ફરી આત્મહત્યા કરી, પિતા આઘાતમાં મૃત્યુ પામ્યા, એક જ ઝટકામાં કુટુંબમાં તબાહી,
- અચાનક ઉંઘ ખુલી તો ચોંકી ગઈ મા, કોન્ટ્રાક્ટર સગીર પુત્રી સાથે દુષ્કર્મ કરતો હતો, તે પણ બે મહિનાની ગર્ભવતી
- અમદાવાદમાં પરીણિતાને પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડી લઈ કપડાં ફાડી નાંખ્યા
- ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 157 આરોપીઓના કાસ્ટોડિયલ ડેથ થયા, અમદાવાદ અને કચ્છમાં જ 48 ડેથની ઘટનાઓ બની
AMCની દક્ષિણ ઝોનની ઓફિસમાં ઢોલ નગારા અને જાનૈયાઓ સાથે મુસ્લિમ યુગલે લગ્ન કર્યાં
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધવાને કારણે તમામ પાર્ટી પ્લોટ, બાગ બગીચા સહિતના સ્થળો લોકો માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાત્રિ કર્ફ્યૂમાં પણ બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. તંત્રના આ નિર્ણયને કારણે વિરોધ શરુ થયો છે. બીજી બાજુ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાં લગ્ન પ્રસંગ માટે યોગ્ય જગ્યાનો અભાવ હોવાના આરોપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.ઓગસ્ટ 2020માં મુખ્યમંત્રીના હસ્તે પાર્ટી પ્લોટનું ખાતમુહૂર્ત થયું હતું. જેનું કામ આજદિન સુધી શરુ નહીં થતાં લોકોએ અનોખો વિરોધ કર્યો હતો. આજે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ ખાતે મુસ્લિમ કોમનું યુગલ ઢોલ નગારા વગાડીને જાનૈયાઓ સાથે લગ્ન કરવા પહોંચ્યું હતું. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાનીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે એક મહિનામાં ઉકેલ નહિ આવે તો આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના ઘરે આજ પ્રકારે લગ્ન યોજવામાં આવશે.કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કર્ફ્યૂનો સમય ચાર મહાનગરોમાં વધારીને રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે, જેનાથી લોકોની હાલાકી વધવાની છે. નાની રેંકડીવાળા, નાના સ્ટોલવાળા, રેસ્ટોરન્ટ અને રોજ લાવીને રોજ ખાનાર વ્યક્તિઓની હાલાકી વધવાની છે. કોરોનાના કારણે ગરીબ, નાના અને મધ્યમવર્ગના લોકોની હાલાકી વધી છે. રાત્રિના 10 પછી કર્ફ્યૂ લાગવાને કારણે નાના રેંકડીવાળા, સ્ટોલવાળા, લારીવાળા, રેસ્ટોરન્ટવાળા, ખાણીપીણી બજારવાળાને ધંધો 9 વાગ્યાથી બંધ કરી દેવો પડશે.
