શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 29 જુલાઈ 2021 (16:49 IST)

મેડિકલ કોલેજોમાં એડમિશન પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OBC અને EWS ના વિદ્યાર્થીઓને મળશે અનામત

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મેડિકલ એડમિશન માટે મોટો નિર્ણય કર્યો છે.  સરકારે ઓબીસી અને આર્થિક રૂપથી પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામતને મંજૂર કરી લીધી છે. સરકારે ઓબીસી વર્ગમાં 27% અને આર્થિક રૂપથી કમજોર વર્ગના લોકો માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે ઓબીસી વર્ગ અને આર્થિક રૂપથી નબળા  વર્ગના લોકો માટે અનામત આપવાનુ એલાન કર્યુ. 
 
મંત્રાલયે 2021-22 સત્રથી તેને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી લગભગ 5500 વિદ્યાર્થીઓને લાભ મળશે. અનામતનો લાભ યૂજી અને પીજી મેડિકલ/ડેંટલ કોર્સ (એમબીબીએસ/એમડી/એમએસ/ડિપ્લોમા/બીડીએસ/એમડીએસ)માં એડમિશન લેનારાઓને મળશે.  સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે સરકારે ઓબીસી અને  EWS વર્ગના લોકોને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ મામલાએ ત્યારે તૂલ પકડી લીધુ હતુ જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 12 જુલાઈના રોજ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે નીટ 2021 ની તારીખનુ એલાન કર્યુ. તેમણે કહ્યુ હતુ કે આ વખતે પણ નીટ પરીક્ષા ઓબીસી વર્ગને અનામત આપ્યા વગર જ થશે. ત્યારબાદ અનેક વિદ્યાર્થી સંગઠનોએ દેશવ્યાપી હડતાળની ધમકી આપી. સાથે અનેક રાજનીતિક દળોએ પણ અનામતની માંગ કરી.  મામલો આટલે થી જ અટક્યો નથી. ભાજપાના અનેક નેતા અનામતના સમર્થનમાં ઉતરી આવ્યા. કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ અને ભૂપેન્દ્ર યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિવેદન સોંપ્યું.