મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

મા શાકંભરીની શક્તિપીઠ

મા શાકંભરીની શક્તિપીઠ

દેશની અંદર મા શાકંભરીની ત્રણ શક્તિપીઠ છે. આમાંથી પ્રમુખ રાજ્સ્થાનના સીકર જીલ્લામાં ઉદેયપુર વાટીની પાસે સકરાય માતાજી નામથી આવેલ છે. બીજુ સ્થાન શાકંભરના નામથી જ રાજ્સ્થાનની અંદર સાંભર જીલ્લાની નજીક અને ત્રીજી સ્થાન ઉત્તર પ્રદેશમાં મેરઠની સહારનપુરથી 40 કિ.મી. દૂર આવેલ છે.

માતાજીનું પ્રમુખ સ્થળ અરવલ્લી પર્વતના મધ્ય સીકર જીલ્લામાં સકરાય માતાજીના નામથી વિશ્વવિખ્યાત થયેલ છે. આ મંદિર એપિગ્રાફિયા ઈંડિકા જેવા પ્રસિધ્ધ સંગ્રહ ગ્રંથમાં પણ દાખલ છે.