ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

Success mantra જેનાથી તમે સફળતાની ઉંચાઈ પર પહોંચી શકો છો

Success mantra

યોગમાં પાંચ યમ ,પાંચ નિયમ જૈન પરંપરામાં પાંચ મહાવ્રત અને બૌદ્ધ ધર્મના પાંચ શીલ પ્રસિદ્ધ છે. આજના યુગમાં તેના નવા સંસ્કરણ જરૂરી છે. યમ નિયમ અને પાંચ મહાવ્રત કે શીલ નિજી જીવનને સંસ્કારિત કરવા અને સુગઠિત બનાવવા માટે પરંતુ તેનુ શુદ્ધ અર્થોમાં પાલન કરવુ મુશ્કેલ છે. 
 
સારુ રહેશે  કે પહેલાં વ્યવહારિક પંચશીલોનો વ્યવહારમાં શામેલ કરવામાં આવે.  પારંપરિક યોગસાધનામાં શામેલ પંચશીલોનો સુબોધ અર્થોમાં સમજવું ઈચ્છો તો તેને શ્રમશીલતા ,મિત્વ્યીયતા શિષ્ટતા સુવ્યવસ્થા અને સહકારિતાના નામ આપી શકાય છે. નવા પંચશીલોના નામા આ મુજબ છે. 
 
શ્રમશીલતા- આરામતલબીની જગ્યાએ શ્રમ કરવાથી મોટાઈ અનુભવાય છે . તત્પરતા અને તન્મયતા ભર્યા પરિશ્રમથી દિનચર્યા બનાવી શકાય છે. 
 
મિતવ્યયતા- અમીરીના પ્રદર્શનમાં સન્માન નથી મળતું. ઈર્ષ્યા જ આવે છે. આથી ઓછા ખર્ચમાં  જીવન ગુજારી સાદુ જીવન  ઉંચા વિચારની નીતિ અપનાવી જોઈએ . જરૂરિયાતની સેવા કરવી જોઈએ. 
 
શિષ્ટતા - કહેવાય છે કે શાલીનતા વગર મૂલ્યે મળે છે , પણ તેનાથી બધુ ખરીદી શકાય છે. 
 
સુવ્યવસ્થા - સંયમ ,શ્રમ,મનોયોગ , જીવનક્ર્મ શરીર સામર્થ્યનો સુનિયોજન કરો.તેને એવી રીતે સાચવી રાખો કે તેનો સુમુચિત લાભ ઉઠાવી શકાય .
 
સહકારિતા - મળીને કામ કામ કરવું . પરિવાર અને કારોબાર લોકવ્યવહારમાં સાંમજ્યસ સાથે-સાથે કામ કરવાની પ્રવૃતિ બની રહેવી. એકાકી અને નીરસતા ,નિરાશા ભરેલા વાતાવરણથી બચવું .