સંબંધિત સમાચાર
- Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
- 3 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો, પછી લોહીથી લથબથ બાળકીને રસ્તા પર ફેંકી
- 6 બાળકોની માતા ભિખારી સાથે ભાગી ગઈ
- ડોક્ટરોએ ગર્ભવતી મહિલાના, ઓપરેશન દરમિયાન પેટમાં છોડી દીધું કપડું , મહિલાનું આંતરડું ફાટતા શરીરમાં ફેલાયો ચેપ
- મુંબઈમાં યુવતીઓને ચોટલી કપાવવાનો ડર
અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, મુંબઇ જતાં એક પરિવારની કારે કાબૂ ઘૂમાવતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
A tragic accident occurred near Ankleshwar in Bharuch on National Highway 48 at the Bakrol Bridge towards Mumbai. In the early hours, a speeding Ertiga car was hit from behind by another vehicle, causing it to crash violently into a truck ahead. pic.twitter.com/Hx7d86msPJ
— Our Surat (@oursuratcity) January 8, 2025
સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચના અંકલેશ્વર પાસે પરોઢે પુરપાટ ઝડપી જાતા અર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અજમેરથી પરત મુંબઇ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે જ મોત થયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
