શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 25 એપ્રિલ 2018 (16:16 IST)

કુછ રંગ પ્યાર કે એસે ભીની દાદી બુઆ એટલે કે અમિતા ઉદ્દગાતાનુ નિધન

મુંબઈ ટીવી શો કુછ રંગ પ્યાર કે એસે ભી માં દાદી ભુઆનુ પાત્ર ભજવી રહેલી સીનિયર એક્ટ્રેસ અમિતા ઉદ્દગાતા હવે આપણી વચ્ચે રહી નથી. સમાચારનુ માનીએ તો અમિતા છેલ્લા ચાર દિવસોથી બીમાર ચાલી રહી હતી.  જેને કારણે તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફેફસા ફેલ થવાને કારણે ગઈકાલે રાત્રે તેમણે પોતાનો દમ તોડ્યો. 
 
અમિતાએ કુછ રંગ પ્યાર કે ઐસે ભી ઉપરાંત મન કી આવાજ પ્રતિજ્ઞા, મહારાણા પ્રતાપ, બાબા એસો વર ઢૂંઢો અને ડોલી અરમાનો કી માં પણ કામ કર્યુ હતુ. અમિતાના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. અમિતા એક થિયેટર આર્ટિસ્ટ પણ હતી અને તેના નેગેટિવ શેડ્સને નાના પડદાં પર ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.