1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત

N.D

માન-પ્રમાણ વાસ્તુશાસ્ત્રનો મહત્વપુર્ણ તેમજ મૌલિક સિદ્ધાંત છે. માન-પ્રમાણ તેમજ હસ્ત-લક્ષણ દ્વારા કોઈ પણ ઘરના નિર્માણ માટે પૂર્વ દિશા તેમજ અન્ય દિશાઓ નક્કી કર્યા બાદ વાસ્તુ પદ-વિન્યાસ કરવામાં આવે છે. મકાનનો આકાર, લંબાઈ, પહોળાઈ તેમજ વાસ્તુ પદ-વિન્યાસથી લઈને સંપુર્ણ નિર્માણ કાર્ય તેમજ નિશ્ચિત માન-પ્રમાણના આધારે કરવામાં આવે છે. પહેલાં આ ઘરના સ્વામીની આંગળીઓ તેમજ હાથોના આધારે કરવામાં આવતું હતું. વર્તમાનમાં આને સેંટીમીટર, ફુટ, ઈંચ, મીટર કે ગજના આધારે કરવામાં આવે છે.

સમરાંગણ સૂત્રધારને આધારે માગ્યા વિના જે આપણે વ્યક્ત નથી કરતાં તેને પણ હકીકતમાં બદલી શકાય છે. નિરાકાર બ્રહ્મને સાકાર ઈશ્વરમાં પરિણય કરવાનો શ્રેય માયાને જાય છે. માયા આ જગતની મૂળ શક્તિ છે. આપણી પરંપરાઓમાં કલાકૃતિની રમણીયતાનો આધાર હકીકતમાં શાસ્ત્રમાન જ છે.

જે રીતે વસ્તુમાંથી વાસ્તુ બને છે તે જ રીત દ્રવ્યમાંથી કૃતિ બને છે તો આ માન વિના ઉત્પન્ન નથી થતી. એટલે કે વાસ્તુ અન્ય પર આશ્રિત છે. વાસ્તુની અંદર માન-પ્રમાણના નિમ્ન પ્રકાર છે-

- માન
- પ્રમાણ
- આદિમાન
- લમ્બમાન
- ઉનમાન
- ઉપમાન