સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 29 એપ્રિલ 2015 (15:44 IST)

vastu Tips- વાસ્તુના આ નિયમ અપનાવીને તમારા ઘરને બનાવો ભૂકંપથી સુરક્ષિત

vastu Tips- વાસ્તુના આ નિયમથી તમારા ઘરને બનાઓ ભૂકંપથી સુરક્ષિત
નેપાળમાં આવેલ  ભયાનક ભૂકંપથી બધાના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે  આટલી તીવ્રતાનો  ભૂકંપ ભારતમાં આવ્યું હોત તો   ?  આવું વિચારીને જ ભય લાગે છે.  ગભરાવવાના  બદલે  જો ઘર બનાવતી વખતે વાસ્તુના નાના-નાના નિયમોનું  પાલન કરવામાં આવે તો ભૂકંપથી તમારુ ઘર સુરક્ષિત રહેવા ઉપરાંત તમે ચિંતામુક્ત અને સુખી પણ રહેશો. આવુ વાસ્તુશાસ્ત્રીઓ કહે છે.  વાસ્તુશાસ્ત્રીના જણાવ્યા મુજબ વાસ્તુનો ઉદેશય જ છે કે તમારું  ઘર અને તમે સુરક્ષિત અને આનંદથી  રહો. તો આવો જાણીએ એવી કેટલીક વાસ્તુ ટિપ્સ જે તમારા ઘરને ભૂકંપથી સુરક્ષિત રાખશે.
સૌથી  પહેલા તો આ વાતના ખ્યાલ રાખો કે તમે જે જમીન પર મકાન બનાવી રહ્યા હોય એ જમીન ક્યાંયથી પણ વાંકી-ચૂકી ના હોય. L,W,Y,T,F ના શેપમાં પ્લાટ ન હોવા જોઈએ. મકાન બનાવતી વખતે આ વાતનું  ધ્યાન રાખો કે મકાનની દીવાલ  બરાબર રહે.  ક્યાંથી વાંકી-ચૂકી ના હોય . આવુ એ માટે કરવુ જોઈએ કારણકે દીવાર બરાબર અને કે સીધી ન હોય તો  ભૂકંપમાં મકાનને નુકશાન પહોંચવાના ખતરો  વધી જાય છે. 
માટીની તપાસ ખૂબ જરૂરી છે. જો આપણે કે મજબૂત પાયો (નીવ) મુકવા માંગતા હોય જે આપણને કોઈ પ્રાકૃતિક વિપદાથી બચાવી શકે તો પાયામાં માટીની તપાસ ખૂબ જરૂરી છે. જેને આજકાલ ધ્યાનમાં લેવામાં આવતી નથી.  ભૂકંપથી સુરક્ષિત ઘર બનાવવા માટે જરૂરી છે કે જે જમીન પર ઘર બનાવી રહ્યા હોય ત્યાની જમીન ન તો વધુ કડક હોય કે ન તો વધુ મુલાયમ. આ વાતનુ ધ્યાન રાખશો તો પાયામાં તિરાડ પડવાની શક્યતા ઓછી રહેશે.  
 

 

 
ભૂકંપથી ઘર સુરક્ષિત રહે એ માટે સૌથી જરૂરી એ છે કે તમારા ઘરનો પાયો મજબૂત હોય. આ માટે ઘરનો પાયો મુકતી વખતે પાયામાં જો તમે ગાયનુ છાણ,  ગંગા જળ અને ફળ આપનારા છોડના બીજ નાખશો તો તેનાથી પાયો વધુ મજબૂત થઈ જાય છે.  ત્યારબાદ 9 ઈંચનુ એક પડ સ્વચ્છ અને શુદ્ધ રેતીનુ બનાવો. ધ્યાન રાખો કે આ રેતી રસાયણ (કેમિકલ) વગરની હોય અને કોઈ પવિત્ર નદી પાસેથી લાવવામાં આવી હોય.  આ પાયાને લચીલો બનાવે છે જેનાથી ભૂકંપથી ઘર સુરક્ષિત રહે છે.  

ભૂકંપથી ઘર સુરક્ષિત રહે એ માટે સૌથી જરૂરી એ છે કે તમારા ઘરનો પાયો મજબૂત હોય. આ માટે ઘરનો પાયો મુકતી વખતે પાયામાં જો તમે ગાયનુ છાણ,  ગંગા જળ અને ફળ આપનારા છોડના બીજ નાખશો તો તેનાથી પાયો વધુ મજબૂત થઈ જાય છે.  ત્યારબાદ 9 ઈંચનુ એક પડ સ્વચ્છ અને શુદ્ધ રેતીનુ બનાવો. ધ્યાન રાખો કે આ રેતી રસાયણ (કેમિકલ) વગરની હોય અને કોઈ પવિત્ર નદી પાસેથી લાવવામાં આવી હોય.  આ પાયાને લચીલો બનાવે છે જેનાથી ભૂકંપથી ઘર સુરક્ષિત રહે છે.  
 
ઘર ક્યારેય પણ ઈનવર્ટેડ મતલબ નીચે પાતળુ અને ઉપરથી પહોળુ ન હોવુ જોઈએ. કારણ કે નિયમ મુજબ ગુરૂત્વાકર્ષણ હંમેશા નીચેની બાજુ હોવુ જોઈએ અને આધાર મતલબ નીચલો ભાગ ભારે હોવો જોઈએ. 
 
એ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે ઘરમાં જેટલી પણ બારી અને દરવાજા છે તેમના ખૂણાથી અંતર એક જેવુ રહે. બારી અને બારણા એક જેવા માપના હોય. 
 
એ વાતનુ ધ્યાન રાખો કે એક કે બે માળની બિલ્ડિંગનો પુર્ણ ખુલ્લો ભાગ (કુલ મળીને બારી-બારણા) 50 ટકા એરિયાથી વધુ ન હોય.  કોકી એક બાજુની દિવાલ 6 મીટરથી વધુ ન હોવી જોઈએ. 
 


 

મજબૂત સ્ટીલની વાર પાયાથી લઈને રૂમની છત (અગાશી) સુધી દરેક ખૂણામાં લાગવી જોઈએ.  આ દરેક તરફથી ઘરને મજબૂતી પ્રદાન કરે છે. 
 
ઘરમાં સાજ સજાવટની વસ્તુઓને કોશિશ કરીને નીચે રાખો જેથી ભૂકંપ આવતા તેનાથી કોઈ રીતની જાનહાનિ ન થાય.