જ્યારે ભક્તિ અન્નમાં પ્રવેશે તો પ્રસાદ બને છે જ્યારે ભૂખમાં પ્રવેશે તો તેને ઉપવાસ કહે છે જ્યારે એ પાણીમાં પ્રવેશે તો તેને પંચામૃત કહે છે જ્યારે તે પ્રવાસ પર નીકળે તો તેને તીર્થયાત્રા કહે છે જ્યારે ભક્તિ સંગીતમાં પ્રવેશે તો તેને ભજન-કીર્તન કહે છે જ્યારે તે લોકસંગીતમાં ઘુસે તો તેને લોકગીત કહે છે જ્યારે ભક્તિ ઘરમાં પ્રવેશે છે તો ઘર મંદિર બને છે જ્યારે ભક્તિ કાર્યમાં ઉતરે તો તેને સેવા કહે છે જ્યારે ભક્તિ માનવીમાં ઘુસે ત્યારે માણસાઈનું સર્જન થાય