ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 30 ડિસેમ્બર 2017 (16:41 IST)

ઘરમાં કયું ઘી વાપરવાથી વરસે છે દેવી-દેવતાઓની કૃપા

સનાતન ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનો ધાર્મિક સંસ્કારો અને શુભ અવસરો પર ઘણી બધી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. . જેનાથી દેવી--દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે. આમ તો બધી સામગ્રીઓનું  પોતાનું અલગ  મહત્વ છે પણ ઘી નુ વિશેષ  સ્થાન છે. જુદા-જુદા પ્રકારના ઘી બજારમાં સરળતાથી મળે છે. પણ ગાયના દૂધથી બનેલ ઘી દેવી -દેવતાઓને અર્પણ કરવું જોઈએ. 
 
હિંદૂ ધર્મમાં ગાયને માતાનું  સ્થાન મળ્યું છે અને હમેશા ગાયની પૂજા કરવામાં આવે  છે અને તેમાં 36 કરોડ દેવી-દેવતાઓનો વાસ ગણાય છે. ગાયના ઘી નો દીવો  પ્રગટાવવો  અને તેનાથી  બનેલ પ્રસાદનો ભોગ લગાવવાથી દેવી- દેવતા  શીઘ્ર  કૃપા વરસાવે છે. 
 
વૈજ્ઞાનિક નજરે જોઈએ તો 10 ગ્રામ ગાયના ઘી દ્વારા હવન કરવાથી વાયુ-મંડળમાં આશરે 1 ટન ફ્રેશ ઑકસીજનનો નિર્માણ કરી શકાય છે. આથી આપણા ઋષિ મુનિયો મંદિરોમાં ગાયના ઘીનો દીવો  અને ધાર્મિક અનુષ્ઠાનમાં એનો પ્રયોગ કરવાનું  કહ્યું છે. આ ઘી માં વાતાવરણમાં ફેલાતા પરમાણુ વિકિરણોને હટાવાવાની અદભુત ક્ષમતા હોય છે. 
 
- સાંજના સમયે ઘરમાં કેસર નાખી ઘીનો દીપક પ્રગટાવાથી રોગોનો નાશ થાય છે. 
 
- દાંપત્યના ઝઘડાને પ્રેમમાં ફેરવવા માટે રાતે સૂતા પહેલા વાસણ ઘસવાના સ્થાનને સાફ કરીને ગાયના ઘીનો દીપક પ્રગટાવો. 
 
- સોમવારે શિવલિંગ પર ગાયનું  ઘી અર્પિત કરો આથી શારીરિક બળ મળે છે.