ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. ઇસ્લામ ધર્મ વિશે
Written By

Hajj Yatra 2022: હજ યાત્રામાં શૈતાનને આ માટે મારવામાં આવે છે પત્થર જાણો ઈસ્લામમાં શું છે તેનુ મહત્વ

ઈસ્લામમાં હજ યાત્રા (Hajj Yatra) ને ખૂબ મહત્વપૂર્ણ ગણાયુ છે જણાવીએ કે હજ યાત્રા શરૂ થઈ ગઈ છે. હજ યાત્રાને ઈસ્લામના 5 મુખ્ય સ્તંભમાંથી એક ગણાય છે. ઈસ્લામ ધર્મના મુજબ અલ્લાહની મેહર મેળવવા જીવનમાં ઓછામાં ઓછા એક વાર હજ યાત્રા પર જવુ મહત્વનુ ગણાયુ છે. મુસ્લિમ ધર્મમાં જે રીતે નમાજ અને રોજા 
 
મહતવપૂર્ણ હોય છે. તે જ રીતે હજ યાત્રા પણ જરૂરી હોય છે. હજ યાત્રા માટે દુનિયાના બધા મુસલમાન સૌદી અરબના મક્કા શહેરમાં એકત્ર હોય છે. 
 
1. ઈસ્લામના 5 જરૂરી સ્તંભ 
ઈસ્લામના 5 સ્તંભ છે 
કલમા વાંચવુ 
નમાજ વાંચવી 
રોજા રાખવુ 
જકાત આપવી 
હજ યાત્રા કરવી 
 
2. હજ યાત્રાની કેટલીક જરૂરી વાતોં 
હજ યાત્રાના દરમિયાન પુરૂષ સફેસ રંગના કપડા પહેરે છે. તેમજ મહિલાઓ એવા કપડા પહેરે છે જેનાથી મોઢુ મૂકીને આખુ શરીર ઢાંકી શકાય. આ દિવસોમાં ઈત્ર લગાવવું,  
 
નખ, વાળ અને દાઢી કાપવા માટે પ્રતિબંધિત છે. આ દરમિયાન ઝઘડો કે દલીલ કરવાની પણ મંજૂરી નથી.
 
3. હજ યાત્રાની પ્રક્રિયા 
હજ યાત્રાના દરમિયાન હજ યાત્રીઓને કાબા શરીફના ચારે બાજુ સાત વાર પરિક્રમા કરવી હોય છે. કાબા જ તે ઈમારત છે જેની તરફ મોઢુ કરીને મુસલમાન નમાજ કરે છે. 
 
4. હજ યાત્રામાં શૈતાનને તેથી મારીએ છે પત્થર 
મુસ્લિમ ધર્મની માન્યતાના મુજબ જ્યારે હજરત ઈબ્રાહિમએ તેમના દીકરા હજર ઈસ્લાઈલને ખુદાના હુક્મ પર કુર્બાન કરવાનો નિર્ણય કર્યો ત્યારે શૈતાનએ તેણે આવુ કરવાથી 
 
રોકયો. શૈતાનએ આવુ તેથી કર્યુ કારણ કે તે ખુદાના હુક્મ ન માની શકે. આ જ કારણ છે કે આજે પણ શૈતાનને પત્થર મારવાની પરંપરા બનેલી છે. 
 
5. બકરીદ પછી વાળ અને નખ કપાવીએ છે 
શૈતાનને પત્થર મારવાની પરંપરા પછી બકરીદ પર જાનવરોની કુર્બાની આપવાની પરંપરા છે. તે પછી જ હજ પૂર્ણ થઈ જાય છે. હજ યાત્રા પૂરી થતા જ યાત્રી વાળ અને દાઢી કરાવે છે તેમજ મહિલાઓ નખ અને વાળ કપાવે છે.