શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Modified: લખનૌ. , શુક્રવાર, 8 નવેમ્બર 2019 (13:20 IST)

અયોધ્યા પર નિર્ણય ગમે તે ક્ષણે - પોલીસ ઓફિસરોની રજા રદ્દ, દરેક જીલ્લામાં બનશે અસ્થાયી જેલ

અયોધ્યાના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં નિર્ણયનો સમય નિકટ આવી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી પુરી થયા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યા પછી આશા છે કે 13 થી 15 નવેમ્બર વચ્ચે ક્યારેય પણ નિર્ણય આવી શકે છે. તેથી નિર્ણયના કાઉંટડાઉન સાથે જ પ્રદેશમાં એલર્ટ વધારી દેવામાં આવ્યુ છે.   પ્રદેશમાં 15 ડિસેમ્બર સુધી પોલીસના બધા મોટા અધિકારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. સાથે જ બધા જીલ્લામાં અસ્થાયી જેલ બનાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. 
 
દરેક જીલ્લામાં એક કંટ્રોલ રૂમ સંચાલિત કરવાનો આદેશ