ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 17 ઑગસ્ટ 2020 (18:49 IST)

લીવર સિરોસિસને કારણે નિશિકાંત કામતનુ નિધન, સતત બગડતી હાલતને કારણે ICU માં હતા દાખલ

છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ ભરતી નિર્દેશક નિશિકાંત કામતનુ નિધન થઈ ગયુ છે. બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખે ટ્વીટ કરી આ માહિતી આપી છે કે નિશિકાંતનુ નિધન થઈ ગયુ છે. આ સાથે જ રિતેશે તેમની આત્માની શાંતિની કામના પણ કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે નિશિકાંત કામતને લઈને હોસ્પિટલે હેલ્થ બુલેટિન રજુ કર્યુ હતુ.  હોસ્પિટલે કહ્યુ કે તેમની હાલત ગંભીર બની છે અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની તબિયત સતત ગંભીર બનેલી છે.  નિશિકાંત કામત લીવર સિરોસિસ નામની બીમારીથી ગ્રસ્ત છે. આ બીમારીને કારણે તેઓ છેલ્લા કેટલાક દિવસથી દવાખાને દાખલ હતા.