1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ગોલમાલ 3: અરશદને મળ્યા 3 કરોડ

IFM
જો આ સમાચાર સત્ય છે તો 'ગોલામાલ 3'માં ભારે ગોલમાલ થઈ છે. સૂત્રોના કહેવા મુજબ અરશદ વારસીને આ ફિલ્મ માટે રાજી કરવા માટે નિર્માતાઓએ તેમને ત્રણ કરોડ રૂપિયા આપ્યા અને તેઓ માની ગયા છે. આટલી મોટી રકમ તો ફિલ્મના હીરો અજય દેવગન અને હીરોઈન કરીનાને પણ નથી આપવામાં આવી.

જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે અરશદ ફિલ્મમાં છે કે નહી, તે એક રહસ્ય છે. અરશદનુ કહેવુ છે કે તેઓ તેમની ફિલ્મ 'હમ તુમ ઔર ઘોસ્ટ' પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે અને તેમની પાસે 'ગોલમાલ 3' માટે સમય નથી.

સૂત્રોનુ કહેવુ છે કે વાત સમયને લઈને નહી પરંતુ પૈસાને લઈને છે. અરશદે પોતાની પ્રાઈસ વધારી દીધી છે. 'ઈશ્કિયા'ને ભલે સરેરાશ સફળતા સાંપડી હોય, પરંતુ અરશદ આને સુપરહિટ માની રહ્યા છે અને કરોડોની વાતો કરી રહ્યા છે. નિર્માતાઓએ પણ તેમની માંગને માની લીધી છે.

ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટીનુ કહેવુ છે કે તેઓ આ વિશે વધુ નથી જાણતા કારણ કે વાત અરશદ અને નિર્માતાની વચ્ચે ચાલી રહી છે.

ગોલમાલ 3 માં શરમનની જગ્યાએ હવે કૂણાલ ખેમૂ જોવા મળશે. શરમન દ્વારા ફિલ્મ ન કરવાનુ કારણ પણ પૈસા જ છે. '3 ઈડિયટ્સ' પછી શરમન પણ અઢી કરોડ માંગવા માંડ્યા છે.

રોહિત શેટ્ટી વગર કોઈનુ નામ બતાવે કહે છે કે 'ઘણા પ્રતિભાશાળી કલાકાર આપણી વચ્ચે છે, પરંતુ તેઓ સાઈડ અટ્રેક્શન છે અને તેઓ મેન કોર્સ કદી નથી બની શકતા.'

રોહિતનો ઈશારો કોની તરફ છે એ તમે જાણી જ ગયા હશો.