શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પોતાના મિત્ર માટે સલમાન ઈદની ઉજવણી નહી કરે

P.R
સુપરસ્ટાર સલમાન ખાને ફરીથી ઈદ પર ફિલ્મ રિલીઝ કરીને ધૂમ કમાણી કરી છે. 'એક થા ટાઈગર'ને સલમાનના ચાહકોએ આપેલા ભવ્ય રિસ્પોન્સને સોહૈલ ખાને સલમાનભાઈ માટે બેસ્ટ ઈદી ગણાવ્યો હતો. તો ખાન પરિવાર પાસે આ વખતે ઉજવણીના બે કારણો છે, ફિલ્મની સફળતા અને સાથે સાથે ઈદનો તહેવાર. પણ સલમાન ખાન આ વખતે સેલિબ્રેશનના મૂડમાં નથી.

હાલમાં જ એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં સલમાન ખાને જણાવ્યુ હતું કે તે આ વર્ષે ઈદ નહીં ઉજવે. "મારા સારા મિત્ર રિતેશ દેશમુખના પિતા વિલાસરાઓનું અવસાન થયું છે માટે હું ઈદ નથી ઉજવી રહ્યો." રિતેશ દેશમુખ અને સલમાન ખાન ઘણા વર્ષોથી એકબીજાના સારા મિત્રો છે. ઉદાર અને મોટા દિલ માટે જાણીતો સુપરસ્ટાર સલમાન ખાન આ વખતે પોતાના આ મિત્ર માટે થઈને ઈદની ઉજવણી નહીં કરે.

સલમાન ખાનનો તારો અત્યારે 'એક થા ટાઈગર'ની સક્સેસ સાથે તેજ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે અને જ્યારે અમે આ લખી રહ્યા છીએ ત્યાં સુધીમાં કદાચ ફિલ્મે 100 કરોડની કમાણી કરી પણ લીધી હશે.