શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રણબીર કપૂર નહી કરે કેટરીના સાથે લગ્ન

P.R
.

બોલીવુડના રોકસ્ટાર રણવીર કપૂરે પોતાના લગ્નના સમાચારોને નકારતા કહ્યુ છે કે તેઓ હાલ સિંગલ છે અને કોઈની સાથે લગ્ન નથી કરી રહ્યા. રણબીર કપૂરે પોતાની આવનારી ફિલ્મ 'બેશર્મ'ના પ્રમોશન માટે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી કે તેઓ પોતાના જન્મદિવસ પર સગાઈ કરવા જઈ રહ્યા છે.

રણવીરે કહ્યુ કે જ્યારે હું ઈંડસ્ટ્રીમાં નવો હતો ત્યારે મારા રિલેશન વિશે ખુલ્લા મને વાત કરતો હતો, મારુ માનવુ છે કે જ્યારે તમે આવુ કરો છો તો લોકોનુ ધ્યાન તમારા કામ કરતા વધુ તમારા સંબંધો તરફ વધુ જાય છે. હુ મારી લાઈફન એ પ્રોટેક્ટ કરવા માંગુ છુ. હુ મારી લાઈફને રિયાલિટી શો ની જેમ લોકોને બતાવવા નથી માંગતો.

રણબીર કપૂરે કહ્યુ કે હુ કોઈની સાથે લગ્ન કરવા સુધી સિંગલ છુ. મારા માટે હાલ 'બેશર્મ' સૌથી વધુ ઉત્સાહી વસ્તુ છે. હુ મારા કામથી ખૂબ ખુશ છુ. હુ મારી ફેમિલી અને મિત્રો સાથે ખૂબ જ ખુશ છુ. હુ આ અફવાઓ પર ધ્યાન નથી આપતો. ઉલ્લેખનીય છે કે હાલ તાજેતરમાં જ મીડિયામાં ચર્ચા થઈ રહી હતી કે રણબીર કપૂર પોતાની ગર્લફ્રેંડ કેટરીના કેફ સાથે પોતાના જન્મદિવસ 29 સપ્ટેમ્બરના રોજ સગાઈ કરવા જઈ રહ્યા છે.